________________
૧ : ધૃતાધ્યયનનો મંગળ પ્રારંભ
‘નિસંગતા' અને ‘કર્મધૂનન' :
અત્યાર સુધીમાં આપણે આ શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનની શરૂઆત કરતાં પહેલાં, નવ અધ્યયનરૂપી શ્રી આચારાંગ સૂત્રનાં પ્રથમનાં પાંચ અધ્યયનોનો પરસ્પર સંબંધ જોઈ ગયા. હવે પાંચમા ‘લોકસાર’ નામના અધ્યયન સાથે છઠ્ઠા ‘ધૂત' નામના અધ્યયનનો સંબંધ દર્શાવતાં, પાંચમા અધ્યયનમાં શું કહેવામાં આવ્યું છે તે અને છઠ્ઠા અધ્યયનમાં શું કહેવાનું છે તે દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ ફરમાવે છે કે
" इहानन्तराध्ययने लोकसारभूतः संयमो मोक्षश्च प्रतिपादितः, स च निःसङ्गताव्यतिरेकेण कर्मधूननमन्तरेण च न भवतीत्यतत्प्रतिपादानार्थमिदमुपक्रम्यते ।"
“આ શ્રી આચારાંગ સૂત્રમાં તેના આ છઠ્ઠા અધ્યયનના પહેલાંના પાંચમા ‘લોકસાર’ નામના અધ્યયનમાં લોકને વિષે સારભૂત સંયમ અને મોક્ષનું પ્રતિપાદન કર્યું. હવે ‘નિ:સંગતા' વિના લોકસારભૂત તે સંયમ નથી થઈ શકતો : અને ‘કર્મધૂનન’ વિના લોકસારભૂત તે મોક્ષ નથી થઈ શકતો, તે કારણથી ‘નિ:સંગતા’ અને ‘કર્મધૂનન’ – આ બે વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ છઠ્ઠા અધ્યયનનો આરંભ કરવામાં આવે છે.”
આ ઉપરથી સમજી શકાશે કે પ્રભુમાર્ગમાં અવિચળ શ્રદ્ધા ધરનારને જેમ લોકમાં સાર તરીકે ‘સંયમ’ અને ‘મોક્ષ’ આ બે જ વસ્તુ લાગે છે, તેમ તેને ‘સંયમ'ની સાધના માટે ‘નિ:સંગતા' અને મોક્ષની સાધના માટે ‘કર્મધૂનન’ અતિશય જરૂરી લાગે છે : કારણ કે તેના વિના સંયમ સેવી શકાતો નથી કે મોક્ષ મેળવી શકાતો નથી.
‘સંયમ'ના અર્થીને પૌદ્ગલિક સંગ માત્ર બંધનરૂપ લાગે અને ‘મોક્ષના અર્થીને શુભ યા અશુભ કર્મમાત્ર ભયંકર લાગે, કારણ કે આ શાસનમાં નિ:સંગતા દ્વારા જ સંયમ સાધી શકાય છે, અને કર્મમાત્રના ધૂનન દ્વારા જ મુક્તિ મેળવી શકાય છે. પૌદ્ગલિક સંગમાત્રને બંધનરૂપ માની ‘નિ:સંગતા' કેળવવી, તે કેળવવા દ્વારા ‘સંયમ’ને સાધવું અને સંયમની સાધના દ્વારા શુભ યા અશુભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org