________________
૧: ધૂતાધ્યયનનો મંગળ પ્રારંભ
• “નિસંગતા' અને ‘કર્મધૂનન' : • હવે પાછા આવો મૂળ વસ્તુ ઉપર : વિષય : પાંચમા લોકસાર અધ્યયન અને છઠ્ઠા ધૂતાધ્યાનમાં આવતા વિષયન
સંબંધ પાંચે ઉદ્દેશામાં આવતી બાબતોનો નામનિર્દેશ. આ પૂર્વેનાં પ્રવચનોમાં પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ શ્રી આચારાંગસૂત્રના એકથી પાંચ અધ્યયનમાં કહેવાયેલી વાતોના સારગ્રાહી અવતરણરૂપે ઘણી ઘણી વાતો ખૂબ જ સરળ શૈલીમાં રજૂ કરી. આ પ્રવચનથી છઠ્ઠા ધૂત અધ્યયનની વિવેચનાનો પ્રારંભ કરાયો છે. “સંયમની સાધના માટે નિસગપણું અને મોક્ષની સાધના માટે કર્મધૂનન અનિવાર્ય છે' - એ ધ્રુપદની આસપાસ આ વ્યાખ્યાન પ્રસરેલું છે. સંગ છોડવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે અને પરિણામે દુર્ગતિ અટકી અનંત સુખ પ્રાપ્ત થાય એ વાત કહી હવે પછીનાં વ્યાખ્યાનોના મૂળ ગર્ભનો નિર્દેશ ટૂંકાણમાં કરી પ્રવચનની પરિસમાપ્તિ કરી છે.
• લોકમાં સાર તરીકે સંયમ અને મોક્ષ આ બે જ વસ્તુ છે. • સંયમની સાધના માટે નિઃસંગતા અને મોક્ષની સાધના માટે કર્મધૂનન અનિવાર્ય છે. • અજ્ઞાન લોક કહે છે તેમ અજ્ઞાનીઓ હિંસકને પણ અહિંસક તરીકે સંબોધી “અહિંસાનો પોકાર
ભલે કરે, પણ તેને શ્રી જિનેશ્વરદેવે કહેલો અહિંસા ધર્મ કોઈપણ રીતે માની શકાય તેમ નથી. • સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં બે વસ્તુ જ રમે એક “સંયમ' અને બીજું સંયમના ફળરૂપ “મોક્ષ'. • બે-પાંચની દયા ખાતર અનંતાની દયા ન વેચો ! અનંતાને રોવરાવ્યા છે : હવે બે-પાંચની
દયામાં મૂંઝાઈ ફરીથી પાછું બીજા અનંતાને રોવરાવવાનું પાપ ન વહોરો ! • અનંતા રોતા મટતા હોય અને વર્તમાનમાં કદાચ બે-પાંચ રોતા હોય, તો વાણિજ્યની દૃષ્ટિએ
પણ લાભાલાભ ક્યાં ? શું પાંચની ખાતર અનંતા રુવે એ સારું ? આવડત હશે તો એ પાંચ પણ રોતા બંધ થઈ જશે, એ પણ માર્ગે આવશે અને આત્મકલ્યાણ સાધશે, એટલે તમારી સાથે એનાથી પણ અનંતા રોતા બચશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org