________________
::
– ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64
–
૨ ૨૯
बहिरङ्गान् द्विषोऽजैषी,-यथा साधयितुं महीम् । अन्तरङ्गाञ्जय तथा, मोक्षसाधनहेतवे ।।३।। गृहाण यतिधर्मं तत्, पृथक्कृत्य त्यजापरम्
राजहंसो हि गृह्णाति, विभज्य क्षीरमम्भसः ।।४।।" હે રાજન્ ! આ અસાર સંસારમાં બીજો કશો જ સાર નથી ? માત્ર કાદવમાં જેમ એક કમળ સારભૂત છે, તેમ આ સંસારમાં એક ધર્મ જ સારરૂપ છે.' શરીર, યોવન, લક્ષ્મી, સ્વામીપણું અને બાંધવો' - આ સઘળુંય પવનથી ઊડેલી પતાકાના છેડાની માફક ચંચલ છે : અર્થાત્ શરીરાદિ એક પણ વસ્તુ સ્થિર નથી. માટે
જેવી રીતે તેં આ પૃથ્વીને સાધવા માટે બહારના શત્રુઓને જીત્યા, તેવી જ રીતે હવે મોક્ષની સાધના માટે તું અંતરંગ શત્રુઓને જીત.” “જેમ રાજહંસ પાણીથી અલગ કરીને ક્ષીરને ગ્રહણ કરે છે અને પાણીનો ત્યાગ કરે છે, તેમ હે રાજન તું પણ પૃથ્વીનાં સાધન અને મોક્ષનાં સાધનોને અલગ કરી યતિધર્મને ગ્રહણ કરી અને તે સિવાયની વસ્તુઓને તજી દે.”
આવા અનુપમ ઉપદેશને સાંભળવા છતાં પણ તે ચક્રવર્તીને કશી જ અસર થતી નથી : ઊલટા તે ચક્રવર્તી ઉપરથી મુનિને એમ કહે છે કે
"ब्रह्मदत्तस्ततोऽवादि,-द्दिष्टया दृष्टोऽसि बान्धव ! इयं तवैव राज्यश्री,-भुक्ष्व भोगान् यथारुचि ।।१।। तपसो हि फलं भोगाः, सन्ति ते किं तपस्यसि ।
૩૫મે કો નામ, સ્વત: સિદ્ધ કનને રા” “હે બાંધવ! મેં તને મારા ભાગ્યથી જ જોયો છે અર્થાત્ તારું દર્શન અને ભાગ્યના યોગે જ થયું છે. ભાઈ ! જોઆ રાજ્યલક્ષ્મીતારી જ છે, માટે તું તારી રુચિ પ્રમાણે ભોગને ભોગવ!” કારણ કે“તપનું ફળ પણ ભોગો છે અને તે ભોગો તો વિદ્યમાન છે ? તો તું શા માટે તપ કરે છે ? પ્રયોજન પોતાની મેળે જ સિદ્ધ થઈ ગયું હોય, તો
કોણ એવો મૂર્ખ હોય કે જે ઉપક્રમ કરે ? અર્થાત્ કોઈ જ નહિ.” ચક્રવર્તીના આ કથનને સાંભળીને પરમ ઉપકારી તે મુનિપુંગવે તેના કલ્યાણના હેતુથી ભલભલાનું હૃદય પીગળાવે એવા શબ્દોમાં ફરમાવ્યું કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org