________________
૧૪ઃ ધ્યેયશુદ્ધિની આવશ્યકતા
પુદ્ગલવાસનાની ભયંકરતા :
સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે “સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવો ધર્મદેશના દે તે છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મને આરાધી શકતા નથી, કેમ કે મોહના યોગે આત્મા શું છે અને આત્માના ગુણો કઈ રીતે પ્રગટ થાય છે તેને તેઓ બિલકુલ સમજતા નથી. આથી એ સ્પષ્ટ જ છે કે “ધર્મક્રિયામાં અપ્રશસ્ત મોહને બિલકુલ સ્થાન મળવું જોઈએ નહિ!' એ મોહ એવો છે કે પ્રથમ તો ધર્મને આવવા જ ન દે અને કદાચ ધર્મ આવી જાય તો ત્યાં પણ એ પ્રવેશીને એને ખસેડવાની બધી કાર્યવાહી કરે; મિત્ર બનીને પણ શત્રુનું કાર્ય કરે : માલુમ ન પડે એ રીતે એ આત્માને ધર્મથી પરામુખ કરે, પતિત કરે ! માટે જ્ઞાની કહે છે કે “ધર્મ મેળવવાની ઇચ્છાવાળાએ જેમ તેવા મોહથી અલગ થવું જોઈએ, તેમજ ધર્મ પામ્યા પછી પણ મોહને પ્રવેશવા દેવો જોઈએ નહિ : ધર્મક્રિયામાં મોહને જરા પણ મચક આપવી નહિ!” એથી તો કહ્યું કે “સમ્યગ્દષ્ટિ આત્માને તદ્હેતુ ક્રિયા હોય.' અમૃતક્રિયાને લાવનાર તહેતુ ક્રિયા છે. તહેતુ એટલે મોહેતુ. સમ્યગ્દષ્ટિની ધર્મક્રિયામાં ધ્યેય મોક્ષ જ હોય. તહેતુ ક્રિયાના પ્રયોગ વિના અમૃતક્રિયા આવી શકતી નથી, માટે ધર્માનુષ્ઠાનમાં વિષપણું, ગરલપણું કે સંમૂચ્છિકપણું ન આવી જાય તેની ખાસ કાળજી અને ચીવટ રાખવી જોઈએ : જો એ વિષપણું વગેરે આવે તો આવેલું સમ્યકત્વ જાય અને મિથ્યાત્વ આવે : એટલે કે આવેલો ધર્મ પણ ચાલ્યો જાય ! કેટલીક વખત તો એના યોગે દુર્લભબોધિપણું પણ આવે. આ વસ્તુ સમજવા માટે શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત ખાસ જાણવા જેવું છે. પૂર્વભવના ભાઈ અને મુનિ એવા મુનિએ શ્રી બ્રહ્માદા ચક્રવર્તીને ઉપદેશ આપતાં ફરમાવ્યું કે-”
"राजन्नसारे संसारे, सारमन्यन्त्र किंचन । सारोऽस्ति धर्म एवैकः सरोजमिव कर्दमे ।।१।। शरीरं यौवनं लक्ष्मीः, स्वाम्यं मित्राणि बान्धवाः । सर्वमप्यनिलोधूत,-पताकाञ्चलचञ्चलम् ।।२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org