SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ઃ ધ્યેયશુદ્ધિની આવશ્યકતા 64 • પુદ્ગલવાસનાની ભયંકરતા : • મહત્ત્વપાત્ર “આવા' શબ્દ ક્યાં વપરાય ? • તમે ભગવાનના છો ? ૦ લોકરીમાં પડ્યા કે ડૂળ્યા ! ૦ મુદ્દાને પકડતાં શીખો ! • કુસંપ કે સાચો સંપ ? • તટસ્થ ક્યારે કહેવાય ? વિષય: અમૃતક્રિયામાં અસાધારણ કારણરૂપ તહેતુ અનુષ્ઠાન લાવવા માટે શું શું કરવું જરૂરી ? ધર્માનુષ્ઠાનમાં ધ્યેય મોક્ષનું જ હોવું ઘટે, એના બદલે સંસારની મોજમજાદિનું લક્ષ્ય આવી જાય તો ધર્મક્રિયા વિષ-ગરલરૂપ બની જાય અને ધ્યેય બદલાવાથી અનર્થને કરનાર બની જાય છે. આ વાતની પ્રતીતિ માટે બ્રહ્મદત્ત ચક્રવર્તીના દષ્ટાંતમાં પૂર્વભવના ભાઈ મુનિશ્રીએ આપેલ સદુપદેશ છતાં બ્રહ્મદત્તની ભોગમૂચ્છ અને એનાં પરિણામ દર્શાવ્યા છે. ત્યાર બાદ સંસારના કાકા-મામાદિના સંબંધોને તિલાંજલિ આપ્યા વિના ધર્મરક્ષા કે આરાધના વાસ્તવિક કેમ થતી નથી તે વિસ્તારથી સમજાવ્યું છે. લોકહેરીમાં પડવાથી તો પ્રાપ્ત શાસન જાય. દરેક સ્થળે કહેવાતી વાતના હાર્દને પકડતાં શીખવું જોઈએ, તપનું ધ્યેય અણાહારી પદ, ઝઘડાનું મૂળ શું ? અને આવા પ્રસંગે માધ્યસ્થ કોણ અને કેવી રીતે રહી શકે ? વગેરે બાબતોનો ખૂબ જ સારો પરામર્શ કરી વ્યાખ્યાન પરિપૂર્ણ કર્યું છે. • સમ્યગ્દષ્ટિની ધર્મક્રિયામાં ધ્યેય મોક્ષ જ હોય. • લોકરીમાં પડવાથી શાસન પમાયું હોય તો તે ન ટકે. • દાન છે કે જે દેવાય તેના પ્રત્યેની મમતા ઘટે. • વ્યાધિ કર્મજન્ય છે, એનું નિમિત્ત તપ કહેવાય જ નહિ. • તપમાં જો તપનું ધ્યેય ઇચ્છાનિરોધ ન રહે, તો એ બાહ્યતામાંથી તાપણું ઊડી જાય છે. • “બાહ્ય પદાર્થોમાં મમતા ઘટ્યા વિના, બાહ્ય પદાર્થોને આત્માથી પર માન્યા વિના, બાહ્ય પદાર્થો રાખ્યા રહે તેવા નથી - રહે તોયે હાનિ કરે તેવા છે ?' એવા નિશ્ચય વિના ધર્મ પ્રત્યે સાચો રાગ જ આવવાનો નથી. • જ્યાં આગમમાં પણ મતિકલ્પના ધુસાડવાની વૃત્તિ ત્યાં ઝઘડો. • સાચા અને ખોટા વચ્ચે તટસ્થ રહે છે તે તો વસ્તુતઃ મૂર્ખ છે. ન સમજે ત્યાં સુધી તટસ્થ રહે એવાત જુદી પણ સમજ્યા છતાંય તટસ્થ રહે એ તો મૂર્ખ ! એવા તટસ્થ વધુ વિખવાદ કરાવે. એવા વચલા સમાધાન ન કરી શકે. એ તો નાશ પમાડે.. • સિદ્ધાંત વિરોધીથી અલગ થવું, એ કુસંપ કરાવવાની ક્રિયા નથી, પણ કુસંપથી બચવાની ક્રિયા છે. • દુનિયાના મિત્ર ગણાતા પણ ધર્મમાં વિઘ્ન કરે, તો તે આપણા અમિત્ર. ૦ વ્યવહારમાં દુશ્મન દેખાતા પણ જો ધર્મમાં સહાય કરે તો એ મિત્ર, ભાઈ, સંબંધી, બધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy