________________
– ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિઃ - 63 –
૨૨૫
તે મુમુક્ષુને અનુમોદવામાં પણ પુણ્ય માનીએ જ ને ? રોકવા પ્રયત્ન કરે, તો આપણે પ્રચાર કરવા પણ પ્રયત્ન કરવાનો જ ને ? ધર્મવિરોધીઓની તલવાર અને આપણી ઢાલ :
જીત મેળવવી હશે તો માર્ગસ્થ રહેવું પડશે : ટીકા, ટિપ્પણ કે ધાંધલ ભલે ગમે તેટલાં થાય - આકાશપાતાળ એક થાય તો પણ જય તો આનો એટલે આ શાસનનો જ છે. શાસન હજુ આ અવસર્પિણીમાં એકવીસ હજાર વરસ સુધી રહેવાનું છે. આપત્તિ વખતે સેવકને દુઃખ તો થાય જ. શાસનરક્ષાનો પ્રયત્ન કરવો તે અનિવાર્ય ફરજ છે. જીવતાં છતાં છતી શક્તિએ શાસનરક્ષાનો પ્રયત્ન ન કરીએ તો વિરાધક. શાસન તમારા ને મારાથી નથી જીવવાનું, એ તો જીવતું જ છે, પણ યથાશક્તિ પ્રયત્ન ન કરીએ અને ફરજ ન બજાવીએ, તો શાસન જીવતાં છતાં પણ આપણે તો વિરાધક કોટિમાં જ ગણાઈએ. આરાધકે પોતાની શક્તિ શાસનના બચાવ માટે ખરચવી જ જોઈએ. આરાધકથી બેસી ન જ રહેવાય.
પાપક્રિયાને ફેલાવવા જેમ એ લોકો યોજનાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે, તે જ રીતે ધર્મક્રિયાને ફેલાવવા માટે યોજનાપૂર્વકની પ્રવૃત્તિ આપણે કરવાની. ધાંધલ, હલ્લા, તોફાન, ઉશ્કેરણી, એ બધું એમને મુબારક : એ આપણે ન જોઈએ. અનીતિથી ભરેલી જેની લડત છે, તેની કદી જીત નથી. દુશ્મન પણ ડાહ્યો સારો : દાના દુશ્મન સામે ઊભા રહેવામાંયે શોભા : નાદાન દુશ્મન સામે ઊભા રહેવામાંયે શરમ. એ લોકો જે રીતે ખોટાં પ્રપંચો કરે છે તેમ આપણે ન કરવું : હલકટતાથી ભરેલા હલ્લા કરે તો ઝીલવા, પણ સામી તરાપ ન મારવી : એનો એ ધંધો છે. તલવાર એની છે, ઢાલ આપણી છે. બદમાશો જ્યારે તલવાર લઈ ફરતા હોય, ત્યારે શાહુકારોએ ઢાલ તો રાખવી જ જોઈએ. અને ઢાલ પણ મજબૂત રાખવી જોઈએ. આપણે સાવધ હોઈએ અને ઢાલ મજબૂત હોય તો સેંકડો ઘા ભલે કરે, પણ કંઈ વળે નહિ. અનાડી આત્માઓ કાયદો હાથમાં લે ત્યારે બધું કરે : ધર્મનું પણ અપમાન કરે : કાયદાનું પણ અપમાન કરે : પણ એ પોતાની જ પાયમાલીને નોતરે છે. દરેક કાળમાં એવા બનાવનાં દૃષ્ટાંત તૈયાર છે. તમારામાં અનીતિ કે અન્યાયની બુદ્ધિ ન આવે તે માટે સાવધ રહી, આત્મકલ્યાણકારી પ્રભુમાર્ગના બચાવ માટે તનતોડ પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org