________________
૨૨૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
9A
જીવવા માટે નાસતા તેને તો બળી મરવું જ પડતું' - આ રીતનો બળી મરવાનો ભય હતો, છતાં પણ સંયમ લેનાર કેટલા નીકળ્યા ? ગણ્યાગાંઠ્યા.
જ્યાં આ દશા છે ત્યાં ભોળવ્યા આવે ? શ્રીકૃષ્ણજીએ દાંડી પિટાવી ત્યારે શ્રી નેમિનાથ સ્વામી હયાત હતા ને ? ભગવાને રોક્યા કેમ નહિ ? એમ પણ કેમ ન કહ્યું કે “બધા સંબંધી રજા આપે એ જ દીક્ષા લેવા આવે ?” ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, તીર્થ સ્થાપ્યા પછી અને ભગવાનની દેશના સાંભળ્યા પછી, શ્રી કૃષ્ણ મહારાજાએ આ દાંડી પિટાવી છે. થાવસ્યા પુત્ર હજારો સાથે નીકળ્યા છે. માટે ભાગ્યવાન ! વસ્તુને લાંબી દષ્ટિએ વિચારતાં શીખો.
સભા : સમયનો ફેર ને ?
પણ તેથી શું ? શું ધર્મ ફરી ગયો ? તે સમયે અઢાર પાપસ્થાનકો ડુબાડનારાં હતાં અને આ સમયે અઢાર પાપસ્થાનકો બચાવનારાં છે એમ ? શ્રી નમનાથ સ્વામીના વખતમાં જે અઢાર પાપસ્થાનકો મારે, તે જ પાપસ્થાનક અત્યારે જિવાડે એમ ? એ વખતે તો શ્રી નેમિનાથ સ્વામીના પ્રભાવે પાપસ્થાનકો, પ્રભુના સહવાસમાં આવેલાઓમાં જોરશોરથી નહોતાં અને ઘરમાં રહેનારા પણ પાપથી કંપતાં, ત્યારે આજે તો એ પ્રભુના નામે પણ કેટલેક સ્થળે પાપસ્થાનકો સેવવાની વાતો થાય છે, આજ્ઞા અપાય છે, ઉપદેશ અપાય છે. પાપથી બચાવનારાના લેબાશમાં પણ પાપમાં ડુબાડનારા પાક્યા છે અને તે તમને અનુભવાયું પણ છે, માટે આ વખતે તો એનાથી બચવાના વધુ પ્રયત્નો કરવા જોઈએ. પાપસ્થાનક તો દરેક કાળમાં પાપજનક જ રહે. જો તમે સમયના ફેરને માનો છો, તો તો અત્યારે તે વખત કરતાં પણ બંધન વધારવાં જોઈએ : અને તે વખતે કૃષ્ણજી એક હતા તે આજે અનેક નીકળવા જોઈએ. “અમારાથી ન લેવાય પણ કોઈ પુણ્યવાન નીકળે તો તેના ખાતર દરેક પ્રકારનો ભોગ આપીએ' એવી ભાવના થવી જોઈએ. કર્યું, કરાવ્યું અને અનુમોઘુ, ત્રણે સરખું કહેવાય છે : પણ એમ ક્યારે બને ? વિરોધીઓ પણ એ તો કહે છે ને ? જેમ તેવાઓ દીક્ષા નહિ લેવામાં પુણ્ય માને છે, દીક્ષા નહિ લેવા દેવાની ક્રિયામાં પણ પુણ્ય માને છે અને એ દીક્ષાવિરોધની ક્રિયાને અનુમોદવામાં પણ પુણ્ય માને છે, તેમ આપણે દીક્ષામાં કર્મનિર્જરા અને પુણ્ય માનીએ તો દીક્ષા લેતાને સહાય કરવામાં તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org