________________
s
- ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ ? – 63 – ૨૨૩
તો એ વિરાધક, જ્ઞાનહીન ક્રિયા કરનારો આરાધક “આપણે તો કરીએ એટલું જાણીએ” – એમ ન કરે અને જાણવાની ઉપેક્ષા ન કરે : જાણવાની ઇચ્છા અને કાળજી રાખે. જાણકારને જ્ઞાન છે અને ભાવ (અંતર)માં ક્રિયા છે માટે આરાધક : અને કિયાવાળાને હૃદયમાં જ્ઞાન પ્રત્યે પ્રેમ છે માટે આરાધક ! અને જાણે ને કરે તે તો આરાધક છે જ. પેલા બે જણા જો એક એક પાયો ખંડે તો વિરાધક જ થાય. આથી જ વિચારવાનું કે ધર્મના અર્થી આત્મામાં ભાવના કઈ હોય ? મમતા ક્યારે છૂટે, અસદુભાવ ક્યારે જાય અને સદૂભાવ ક્યારે જાગે એ જ ભાવના હોયને? સમ્યગ્દષ્ટિ ઘરબાર કે રાજઋદ્ધિ ઇચ્છે ? એક સામાયિકમાં, પૂજામાં, પૌષધમાં, પ્રતિક્રમણમાં કે વ્યાખ્યાનશ્રવણમાં જે સુખ છે, તે ચક્રવર્તીની ગાદી પર છે ? ચક્રવર્તીના કરતાં તે સુખ કેટલાય ગણું વધારે છે અને કેટલાય ગણું શુદ્ધ છે. ચક્રવર્તીને તો છ ખંડની ચિતા પણ હોય, પરંતુ સામાયિકમાં બેસે એને કાંઈ ચિંતા છે? ઘરને-પૌદ્ગલિક વસ્તુઓના મમત્વને હૈયાથી બહાર કાઢી મૂકીને, સામાયિક કરનારના સુખની વાત છે હોં ! એવા નિર્ણયથી સામાયિક કરવા બેઠેલાને કદાચ એવા સમાચાર મળે કે “ઘરબાર-કુટુંબપરિવાર વગેરે ચાલ્ય' - તોય એને કષ્ટ ન થાય, કેમ કે ઘરનો તો હૃદયથી ત્યાગ ઇચ્છાયેલો જ છે. આ બે ઘડીની વાત છે. બે ઘડીનાં સામાયિકમાં આત્મકલ્યાણ માનનારો જિંદગીના સામાયિકને કેમ ન ઝંખે ? અને જિંદગીનાં સામાયિક પ્રત્યે લાલા આંખ કરનારમાં બે ઘડીનું સામાયિક હોય જ ક્યાંથી ? બે ઘડીનાં સામાયિકવાળાને તો એમ થવું જોઈએ, થાય જ કે – “ક્યારે જાવજીવનું સામાયિક આવે !” પચ્ચકખાણમાં “જાવનિયમ' આવે ત્યારે એમ થાય કે “રોજની આ ભાંજગડ ક્યારે મટે અને ક્યારે જાવજીવનું પચ્ચખાણ થાય !” આવો ઉમળકો આવે. જો એક દિવસ પણ આવો ઉમળકો ન આવે, તો એ સામાયિકમાં પોલ સમજો. એવી ભાવના થાય ત્યારે પરિણામ પણ જુદું જ આવે. શ્રીકૃષ્ણ મહારાજાએ દાંડી પિટાવી હતી કે કોઈ પણ સંયમ લો, સંસારસમુદ્રમાંથી તારવા માટે ભગવાન શ્રી નેમનાથ સ્વામી મોટી સંયમરૂપ સ્ટીમરના કપ્તાન રૂપ છે, માટે એ સ્ટીમરમાં જેને જવું હોય તે નીકળો, પાછળની અગવડો હું દૂર કરીશ !' આથી હજારો નીકળ્યા.
સભાઃ તે વખતે સંધ નહિ હોય ?
તે વખતે પણ સંઘ હતો જ. “ આખી દ્વારિકા સળગી ત્યારે જે શ્રી નેમનાથ સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છે તે બચી શકતા હતા અને બાકી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org