________________
૨૨૨
–––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
---
982
ભગવાનના, એટલે એમના ઉપર પણ અપ્રીતિ થાય એમાં નવાઈ નથી. જે ભગવાનનો વેશ પહેરે, તેણે ભગવાનની આજ્ઞા મૂકીને કોઈ જ વાત ન કરવી જોઈએ. પેઢીનો મુનીમ પેઢીથી વિપરીત વાત કરે અને પેઢીના દુશ્મન જોડે દોસ્તી બાંધી પેઢી ઉપર ચડાવે, તો શેઠ એ મુનીમને ઘેર જ બેસવાનું કહે કે બીજું કાંઈ ? મુનીમ કદી ગ્રાહકની દયા ચિંતવે, પણ પેઢીની ખોટ તો ન જ ઇચ્છે ! ભગવાન શ્રી મહાવીરદેવની શાસનરૂપ પેઢીના મુનીમને, પ્રભુશ્રી મહાવીરદેવ વિના એક ક્ષણ પણ ચાલે ? આગમ એ અમારા ચોપડા : એ જ ખાતાવહી : લેવડદેવડ બધું એમાં. આગ લાગે ત્યારે તમે પહેલાં શું કાઢો ? મિલકત પછી પણ ચોપડા તો પહેલાં કાઢોને ? તે જ રીતે અમારે આગમ સાચવવાનાં ! પૂર્વપુરુષોએ પણ જ્યારે જોયું કે “હવે કંઠે રહે તેમ નથી' - કે તરત જ ઝટ બધાએ ભેગા થઈને લખ્યું તો જીવતું અને જાગતું રહ્યું. આથી સાધુના ભક્ત બનતાં પહેલાં પ્રભુના ભક્ત બનવું પડશે. પ્રભુના માર્ગના પ્રેમી બનો, આગમના રસિયા બનો અગર તો પ્રભુ પર પ્રેમ જાગે તે માટે તેમ જ પ્રભુનો માર્ગ સમજાય-લેવાય અને પ્રભુના આગમનો બોધ થાય તે માટે સાધુના ભક્ત બનો ! આ સિવાયના હેતુ માટે ભક્ત થાય એનો અહીં સ્વપ્નેય ખપ નથી. તમારાથી અમારી નામના કે શોભા વધે એમ માનવું એ મૂર્ખતા છે. જેમ ધર્મવિરોધીથી અલગ રહેવાનું કહું છું, તેમ અમે પણ જો પ્રભુના માર્ગથી વિપરીત જતા કે કહેતા જણાઈએ, તો અમારાથી પણ આવા જ રહેવાનું કહું છું. બેય વાત કહું છું. જેમાં વિરોધી સાથે વ્યવહાર ન પાલવે, તેમ ઊંધું સમજાવનાર સાથે પણ વ્યવહાર ન પાલવે. તમારો અને અમારો નાતો કઈ જાતનો, એ વિચારો. સામાયિકથી પણ સંયમની જ ભાવના !
જેમ જ્ઞાની ક્રિયા કરનારને હાથ જોડે, તેમજ ક્રિયા કરનારો પણ જ્ઞાનીના જ્ઞાનને હાથ જોડે , વખાણે અને કહે કે “તમે તો જ્ઞાનવાન છો : અમે અજ્ઞાની છીએ તો પણ અમને ક્રિયામાં રસ આવે છે કે તમને તો ઘણો રસ આવે. તમે આવો તો અમને પણ વધુ આનંદ થાય ? અમારી ક્રિયામાં પણ રહેલી અગર રહેતી ખામી સુધરેઃ માટે પધારો, કહો તો બોલાવવા આવું.' - આવી રીતે જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન કરે, તો એ ક્રિયા કરનાર એનામાં તથાવિધ જ્ઞાનનો અભાવ હોવા છતાં પણ આરાધક છે. પરંતુ એને બદલે ક્રિયા કરનારો જો એમ કહે કે “જાયું જાણ્યું હવે, ક્રિયા તો કરતો નથી. અમે કેવી કરીએ છીએ !”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org