________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
એથી એને મુમુક્ષુભાવ ન થતાં, એ જોઈને - ‘હું પણ આવો થાઉં - મને પણ સમવસરણ મળે, ઇંદ્રો પૂજે' - એવી ભાવના થાય અને એ માટે એ ધર્મ કરે ! દેશનામાં સાંભળે કે ‘ધર્મથી આ બધું મળે’ - એટલે એટલા માટે એ સંયમ પણ લે : સાડા નવ પૂર્વ ભણી પણ શકે : સંયમ દેખાવમાં એવું પાળે કે ન પૂછો વાત : ઘણાય આત્માને મોક્ષમાર્ગમાં સહાયક બને : પણ એ અહીં જ રહે, કેમ કે એની ઇચ્છા સમવસરણ વગેરે સાહ્યબીની તથા પૂજાવાની હોય છે. શ્રી તીર્થંકરદેવે આવી ભાવનાથી તીર્થંકર નામકર્મ નિકાચ્યું હતું ? નહિ જ, તે તારકે ‘સવિ જીવ કરું શાસનરસી' એ ભાવનાના યોગે શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી : પછી ભલે મળ્યું આ બધું, પણ ભાવના કઈ ? સર્વ જીવોને શાસનરસી જ કરવાની, પણ બીજી નહિ. સમવસરણની સાહ્યબીની કે પૂજાવાની ભાવના આવી કે મુક્તિ અટકી એમ સમજો !
૨૨૦
·
૪
Jain Education International
પ્રભુના દુશ્મન અને સાધુના ભક્ત ?
સભા : આવું સાચું અને સ્પષ્ટ કહેનાર મળવા જોઈએ.
સાચું કહેનારા મહાત્માઓ ઘણા છે અને તે તારકો સાચું જ કહે છે. એમ બને કે પંચમ કાળ, ડૂંડાવસર્પિણી, તેમાં પણ કૃષ્ણપક્ષીયાનું ટોળું મોટું, એટલે ઉત્પાત થાય : સાચું કહેનારને ખમવું પણ પડે : અને કોઈ વખત સાચું કહેનાર કદાચ દબાઈ પણ જાય અને તેને મૌન પણ રહેવું પડે : પણ તે ઊલટું તો ન જ કહે. ઊલટું એ તો મહા હીનભાગી.. શ્રોતા પ્રત્યેની શરમ અને પરવા થટે તો જ ધર્મ કહેવાય. તમારી શરમ પડે, ‘તમારા વિના અમે નહિ’ - એવું થાય, તો તો તમારા જેવા જ અમારે થવું પડે.
સભા : પછી તો અમારા જેવા પણ ન રહો !
960
ખરી વાત છે. એવા પણ ન રહેવાય. એક મહિને બસો-પાંચસો કમાનારો હોય અને એક જણ મહિને લાખ બે લાખ કમાનારો હોય : હવે એ લાખ-બે લાખ કમાનારો જો સાચે જ દેવાળું કાઢે તો એની પાસે કોઈ ન બેસે, એને કોઈ ન ધીરે અને પેલો બસો-પાંચસોવાળો તો ગમે તેવો તોયે શાહુકાર કહેવાય અને એથી જ એને સામાન્ય રીતે બધા ધીરે અને એ બજારમાં બેસે, કારણ કે જે પાંચ લાવીને પાંચ આપે છે એને આંચ શી ? આથી સ્પષ્ટ છે કે જેણે પોતાના ધાર્મિક અને આત્મકલ્યાણકારી સ્થાન પર રહેવું હોય, તેણે આ આગમ જોવાનું, પણ તમારી સામે જોવાનું નહિ : તમારી સામે જોવાનું હોય તો, તે શી રીતે પામે એ
For Private & Personal Use Only
www.jainelibrary.org