________________
- ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : - 63 ૨૧૯
હોય : કરનાર પ્રત્યે સન્માન હોય : કરનાર પ્રત્યેના પ્રેમમાં અને બહુમાનમાં જરા પણ પૂછવાપણું ન હોય ? અને તે ક્રિયા કરનારાને ક્રિયાની ખામીનો હાઉ ન બતાવે, પણ તેની આગળ ક્રિયાનાં વખાણ કરે, ક્રિયા કરનારાને ભાગ્યવાન ! હું નિર્ભાગી છું' –એમ પણ કહે, અને પછી વિનયથી કહે કે “આ ક્રિયામાં જરા આટલો વિવેક થાય તો કામ થાય.' તો પેલો પણ સાંભળે : એને હાથ જોડે. આ રીતે વર્તે તો એ જ્ઞાની જાણકાર) આરાધક : પણ જો જ્ઞાની ગણાતો તે એથી ઊલટો વ્યવહાર કરે, તો તે વિરાધક! એ જ રીતે જ્ઞાની નહિ છતાં જ્ઞાનની ઇચ્છા રાખી, જ્ઞાન માટે પ્રયત્ન કરતો, અને જ્ઞાની તરફ પૂરેપૂરું સન્માન અને પૂજ્યબુદ્ધિ રાખનાર ક્રિયાવાળો આરાધક, પણ જો પોતાની ક્રિયાની શેખાઈમાં જ્ઞાનીની મશ્કરી કરે તો એ પણ વિરાધક !” સભા : જાણે છતાં ન કરે તે ભવી કે અભવી ?
ભાઈ! નવા લાગો છો. અભવી તો વસ્તુને સાચી રીતે જાણતો જ નથી. બાકી જાણે છતાં નહિ કરનાર કેવળ ભવી જ નહિ, કિંતુ અલ્પસંસારી પણ હોય : એકાવતારી પણ હોય : અરે, વધુમાં વધુ સંસારમાં રહે તો તે પણ અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર જ, પણ એથી ઉપર તો નહિ જ. અત્યારે નથી કરતો પણ જ્યારે તે કરે ત્યારે તો કમાલ જ કરે. બાકી અભવની વાત જ જુદી છે. અભવી તો સાચી રીતે જાણતો જ નથી, કારણ કે અભવીને તો શ્રદ્ધા જ નથી થતી અને એથી તે સાચું જાણી કે સમજી ન શકે. જે જાણે તેટલું કરે એ સંસાર માટે એનામાં દર્શન ન હોય : દર્શન વિના જ્ઞાન પણ નહિ અને એથી એનું ચારિત્ર પણ સંસારવર્ધક ! અભવી છે કે જેનામાં મુક્તિની યોગ્યતા જ નથી. મગમાં કોરડું જેવો. ગમે તેટલા લાકડાં બાળો, પાણી ગમે તેટલું બાળો, છતાંય કોરડું બળે ભલે પણ પાકે નહિ એની રાખ થાય તો ભલે, પણ એ પાકે નહિ ? એ ખાવાજોગો ન થાય. એ કોરડું મગનો દાણો તો જાણે કહે છે કે “બળી જાઉં. રાખ થાઉં, પણ તમને ખાવાજોગો થાઉ જ નહિ ! પાણી તથા લાકડાંને આધીન ન થાઉં : સાથેના પાણીને બાળી નાખું, લાકડાં ખુટવાડું, પણ પોચો મજેનો ન થાઉ : તમે બહુ જુલમ કરીને મને અંગારા પર મૂકો તો રાખ થાઉં ભલે, પણ તમને સ્વાદ આપવા જેવો તો ન જ થાઉં !' અભવી પણ આ કોરડુ જેવો. શ્રી તીર્થંકરદેવ મળે, એ તારકનું સમવસરણ ઋદ્ધિ-સિદ્ધિ જુએ, સંખ્યાબંધ છેદ્રો તથા દેવતાઓ તે તારકની અનિર્વચનીય ભક્તિ કરે તે નજરે જુએ, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org