________________
૨૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
958
સભા સાહેબ! ટાઇમ નથી મળતો.
તમારું ટાઇમટેબલ લાવો. ગપ્પાં મારવામાં, હરવા-ફરવામાં, મોજ-મજામાં, રંગ-રાગમાં, ખાવામાં, ચાલવામાં, ઊંઘવામાં, અને રમત-ગમત વગેરેમાં કેટલો કેટલો ટાઇમ રોક્યો છે, એ તો ખબર પડે. ટાઇમટેબલ લાવો તો તમને બતાવું કે ત્રિકાલપૂજન વગેરે વગેરે કરવા છતાં ફુરસદનો ટાઇમ મળે એટલો ટાઇમ તમારી પાસે ફાજલ રહે છે અથવા બીજા માર્ગે ફોકટ વહ્યો જાય છે : માટે અમે નથી કરી શકતા' - એમ ન કહો, પણ - “હજી તે જાતની ભાવના અને તેનો અમલ કરવાનાં પરિણામ જાગ્યાં નથી' એમ કહો. અભવી ધર્મ કઈ ઇચ્છાથી કરે?
સભા : સાહેબ ! ઇચ્છા તો હોય પણ પ્રમાદ થાય તો ?
પ્રમાદ એ પાપ છે ને ? વેપારમાં, ખાવા-પીવામાં અને રંગ-રાગ વગેરેમાં પ્રમાદ થાય છે ? ના, તો અહીં પ્રમાદ કેમ ? વસ્તુની ઓળખાણ થઈ નથી માટેને ? ઇચ્છા નથી થતી અને ઇચ્છા નથી થતી માટે જ પ્રેમ નથી થતો, અને એથી જ પ્રમાદ પણ આવે છે. આથી અમુક સમય ભલે તમને વસ્તુ ન ઓળખાય, પણ વસ્તુના ઓળખનારને ઓળખો અને એ કહે તેમ તો વર્તો. ઝવેરી ઝવેરી બન્યા તે જન્મ્યા ત્યારથી ? નહિ. પહેલાં તો મોતી પરોવવા કે વીંધવાનું જુએ, શીખે, પછી એની જાત વગેરે જોતાં શીખે અને જોતાં જોતાં છેવટે ઝવેરી બને. બાપની પાસે બેસીને જોતાં તો શીખવું પડેને ? તે મુજબ પણ છ, બાર મહિના તો અભ્યાસ કરો. ત્રિકાલપૂજન, ઉભય ટેક આવશ્યક, નિરંતર વ્યાખ્યાનશ્રવણ, વગેરે વગેરે છ બાર મહિના તો કરી જુઓ ! આટલાં વર્ષો વ્યવહાર માટે ગાળ્યાં, તો એક વરસ તો આ માટે ગાળો ! જુઓ તો ખરા કે “પ્રેમ જાગે છે કે નહિ ?' ગપ્પાં મારવા ટાઇમ મળે અને આ માટે ટાઇમ નથી ? એના કરતાં તો એમ જ કહોને કે “કરવાની વાસના નથી !-'કરી શકતા નથી' એમ વિના પ્રયત્ન કહેવું એ ખરે જ ખોટું છે : અકલ્યાણકારી છે. કોઈ માટે અપવાદ હોય તો એ વાત જુદી છે.
આપણી ક્રિયા તહેતુ હોવી જોઈએ. તેમાં જોઈ ગયા કે “જાણે અને કરે તે તો આરાધક છે જ, પણ જાણે છે અને કરવા સમર્થ નથી તે, તથા કરે છે પણ જાણતો નથી તે, એ બેઉ આરાધક છે !' પણ ક્યારે ? જાણનારો પણ કરવાને ઇચ્છે : ક્રિયા પ્રત્યે તથા એ ક્રિયા કરનાર પ્રત્યે એની પ્રીતિ ભારોભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org