________________
on – ૧૩ : શાસનના શત્રુને. સ્વભક્ત બનાવાય નહિ ? - 63 – ૨૧૭
સભા સાહેબ ! 'અત્તરવયવ' એ ઉક્તિ શું લાગુ ન થાય?
એ તો હરકમ આત્મા માટે : બાકી ભાગ્યશાળી આત્માને ઉત્તમનો સહવાસ તો જેમ જેમ વધુ, તેમ તેમ વધુ જ લાભ ! તેનામાં ઉત્તમતાના જ રંગ વધે. આથી જ પંડિતવર્ય શ્રી પાવિજયજી મહારાજા, શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કહે છે કે
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ' સારા સંજોગોના સેવનથી સારાં પરિણામ :
આપણે ગઈકાલે જોઈ ગયા કે “તત્ત્વ જાણે અને અમલ કરે તે તો આરાધક અને જાણે પણ કરે નહિ એટલે કરી શકતો ન હોય, કરવા સમર્થ ન હોય, તે પણ જો કરવાની ભાવનાવાળો હોય તો આરાધક.” વારુ, હવે તમે બધા વ્રતધારી નથી બનતા, તે બની શકતું નથી માટે કે બનવાની ઇચ્છા નથી માટે ? પરિણામની વાત પછી રાખો, પરંતુ અભ્યાસરૂપ તો ક્રિયા કરો !
શ્રી કૃષ્ણ મહારાજાને ભગવાન શ્રી નેમિનાથસ્વામીએ કહ્યું હતું કે “તમારે અવિરતિનો ઘોર ઉદય છે' - તો પણ એકાદશીનું વ્રત અભ્યાસ માટે કર્યું હતું ને ? તમને અવિરતિની છાપ તો નથી ને ? ત્રિકાલ પૂજા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ અને ઉભય ટંક આવશ્યક વગેરે વગેરે તમે કરી શકો કે નહિ ? હા, તો કેમ નથી કરતા ? કરવું નથી માટે ને ? એની પ્રેરણા કરે એવું કોઈ છે? એવું સાધન રાખો તો ધીરે ધીરે પણ ઠેકાણે આવશે. સારાં પરિણામ ટકવાં કઠિન છે, માટે તો સારાં પરિણામ ટકે તેવા સંજોગોને રોજ સેવવા જોઈએ ? વારંવાર સેવવા જોઈએ : બહુમાનપૂર્વક સેવવા જોઈએ. જો પરિણામ એમ ને એમ આવતાં હોત અને ટકતાં હોત, તો રોજ આ સંભળાવવાની મહેનત શું કામ ? અરે, અહીંની ભાવના બહાર જાઓ કે ખલાસ, તો સારા સંજોગોના સતત સેવન સિવાય શુભ પરિણામ ટકે શી રીતે ? સારાં પરિણામ એમ ને એમ કાયમ ટકે તો જોઈએ શું ? અર્થાતુ ન જ ટકે : આથી એને ટકાવવા સારી સામગ્રી પાસે રાખવી જ જોઈએ. અસ્તુ.
તમે ક્રિયા કરી નથી શકતા કે કરતા નથી? એમ ને એમ ન કહી દેતા કે “અમે નથી કરી શકતા ' કારણ કે છતી શક્તિએ ન કરો અને છતાં એ વાતને છુપાવો તેમાં કાંઈ કલ્યાણ થવાનું નથી. તમારા અંતરાત્મા પાસે જવાબ માગો કે “તમે કરતા નથી કે કરી શકતા નથી ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org