________________
૨૧૩ - - - - - - આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
986
રીતરિવાજ કે ખરચમાં જરાયે ઢીલું ન બતાવે : વ્યવહાર બધો બરાબર સાચવે અને પોલ છુપાવ્ય જ જાય : પણ દર વરસે ખાડો વધે ત્યાં થાય શું ? સરખું થાય ત્યારે બેસે. વિચારો તો સમજાશે કે “એવા સંયોગોમાં એ કેવો સંતાપ અનુભવતો હોય !”
ધર્મહાન આત્માઓ દુનિયાના સંયોગોથી સુખી દેખાતા હોય તો પણ તે વસ્તુતઃ દુઃખી છે; જરાયે સુખી નથી. ધર્મ ચાલ્યો જાય તો સુખ પણ ચાલ્યું જ જાય ? ધર્મ હોય તો જ સુખ! - આટલું સમજો તો શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુદેવની પાસે પોલિક સુખ માગવાની વૃત્તિ નહિ રહે ! જેનાથી સાચું અને શાશ્વત સુખ મળે તેમ હોય, તેનાથી જાય એવું સુખ મગાય ?
સમ્યગ્દષ્ટિ આત્માને, વીતરાગ પાસે તથા નિગ્રંથ ગુરુદેવ પાસે તુચ્છ સુખો માગવાની ઇચ્છા જ ન થાય. જો એવી ઇચ્છા થાય તો કાં તો સમ્યકત્વ નથી અગર હોય તો તે જવા બેઠું છે. કરતા નથી કે કરી શકતા નથી?
જેમ વિષ તથા ગરલક્રિયા સમ્યગ્દષ્ટિને ન હોય, તેમ અનુષ્ઠાન (ગાડરક્રિયા) પણ એને ન હોય. જે ક્રિયાને પોતાની તારક માને, તેને માટે‘બધાં કરે છે માટે કરવી' - એમ સમ્યગ્દષ્ટિ માને ? એમ કદી ન માને. “કરવી જોઈએ’ - એમ માને. “કરવી જોઈએ માટે કરું છું' - એમ માને. આ પ્રથમની ત્રણ ક્રિયા મિથ્યાદૃષ્ટિને હોય. એ કદાચ આ ક્રિયાથી લાભ પામે પણ ખરો. એને લાભ કદાચ સંભવ છે. એ પૌદ્ગલિક સુખને ઇચ્છે અગર ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે, કારણ કે એણે હજી શ્રી વીતરાગદેવને તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખ્યા નથી : એ તો એ રીતે પણ આવે તો આવતાં આવતાં શ્રી વીતરાગદેવને તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખે અને ઓળખી જાય એટલે તેનું કામ થાય : પછી તો એ પણ એવી ક્રિયાનો ત્યાગ કરે.
શ્રી વીતરાગદેવ તથા નિગ્રંથ ગુરુદેવને ઓળખનારને એમના પ્રતિ જે સદ્ભાવ જાગે તે અપૂર્વ જ હોય જેમ જેમ એ તારકોનો પરિચય વધતો જાય, સહવાસ વધતો જાય તેમ તેમ આત્મામાં અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ પ્રેમ ને અપૂર્વ સદ્ભાવ પેદા થતો જ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org