SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 955 ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63 ૨૧૫ પેદા કરનારાં અને અશુભ વિપાકને લાવનારાં માન્યાં, ત્યાં પછી એનાથી છૂટવા માટે જ કરાવી જોઈતી શ્રી વીતરાગદેવની ભક્તિના બદલામાં પણ એની જ પ્રાપ્તિની ઇચ્છા કેમ થાય ? આ વાત જો ગળે ન ઊતરે, તો ધ્યેય તરફ દૃષ્ટિ ઢળે નહિ. જો કે ધર્મના યોગે ઇચ્છાઓ ફળે ખરી, કારણ કે ધર્મ તો કલ્પતરુ છે, પણ એ, તે તે ઇચ્છિતને આપીને ખસી જાય, પણ પછી ઊભો નહિ રહે. એનું કારણ એ છે કે ‘જેઓને ધર્મની કિમત નથી પણ પૌદ્ગલિક સુખોની, એટલે કે રાજ્યઋદ્ધિ, મોજશોખ, વિષયવિલાસ અને યથેચ્છચારિતાની જ કિંમત હોય, તેવા આત્માઓ પાસે ધર્મ, ધર્મરૂપે ટકી શકતો નથી ! તમને સ્નેહી કયો ગમે ? તમારા પૈસાનું સન્માન કરે તે કે તમારું સન્માન કરે તે ? ક્યો સ્નેહી ઠેઠ સુધી તમારી સાથે રહે ? પૈસાને લઈને તમને સલામ ભરે તે કે તમારું મોં જોઈને સલામ ભરે તે ? પૈસા જોઈને સલામ ભરનારો પૈસા જશે ત્યારે આંગળી કરશે, કારણ કે વસ્તુતઃ એ તમારો સ્નેહી જ નથી. પૈસાવાળાને તો રસ્તે ચાલનારો પણ સલામ ભરે, કારણ કે કો'ક વખત કામનો છે એમ એ માને, પણ પૈસા હોય ત્યાં સુધી સલામ ભરે, પણ પૈસા જાય ત્યારે એના એ આંગળી કરે, ગાળ દે અને ન સંભળાવવાનું પણ સંભળાવે ! આથી સાચો સ્નેહી તો તે જ કે જે ગમે તે હાલતમાં પણ સાથ આપે. આ બધું તમે સમજો કે નહિ ? જ્યારે તમે આટલા ડાહ્યા તો મુક્તિને આપનારો ધર્મ કંઈ ગાંડો-બાંડો છે કે જેની તેની પાસે રહે ? તમે પૌદ્ગલિક સુખ માગો ત્યારથી જ એ તમને ઓળખે કે ‘આ તો અર્થકામનો રસિયો છે : એને મારી લગની નથી.' એટલો ઉદાર ખરો કે આપે, પણ આપ્યા પછી ખબર ન લે : સામું જોવા પણ ન આવે : મળ્યા પછી પણ એની દૃષ્ટિ ખસી તો એ મળ્યું શા કામનું ? એની દૃષ્ટિ ગઈ તો એ લક્ષ્મી પણ સુખ નહિ આપે. કર્યો લક્ષ્મીવાન સુખી ? ધર્મી ! ધર્મ ન પામેલા લક્ષ્મીવાનો છતી લક્ષ્મીએ પણ દુઃખી જ છે : એમની ચિંતા ઓછી હોતી નથી. કોઈ દેવાળું કાઢે ત્યારે બધાને ખબર પડે કે -‘આ તો દેવાળિયો છે' પણ એને પોતાને તો વરસો કે મહિનાઓ પહેલાં ખબર હોય : વેપાર પાંચ લાખનો ફરતો હોય ને ત્રિજોરીમાં બે લાખનુંય ઠેકાણું ન હોય એ તે જાણતો હોય, પણ જરાયે ખબર ન પડવા દે : વાયદા પૂરા સાચવે : અહીંના લાવીને તહીં નાખે અને તહીંથી લાવીને અહીં આપે : પાંચનું ચૂકવીને સાતનું કરજ કરે : સાતનું ચૂકવીને દશનું એ બધું કરે, પણ મોભામાં ફેર ન પડવા દે : પાઘડી, દુપટ્ટો, મોટર, ન કરે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy