________________
૨૧૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
નથી કરતા એમ નહિ હોં ! અપવાદ તો બધે જ હોય : મોટાભાગની વાત છે જેની સાહ્યબીની વાત કરવામાં આવે છે, એ તો ત્રિકાલ પ્રભુપૂજા કદી ન ચૂકતા અને આજ તો ત્રિકાલ પ્રભુપૂજાને બદલે ત્રીસ કાલ પેટપૂજા કરે એ વાત ખરી ! લક્ષાધિપતિએ બજારમાં કેવી રીતે નીકળવું, પાઘડી કેમ પહેરવી, દુપટ્ટો કેવો નાંખવો, રીતસર પહેરવેશ - મોટરગાડી વગેરે પોઝીશન કેમ રાખવું, એ બધી એને ખબર પડે : પણ એ લક્ષાધિપતિ મંદિરમાં ગમે તેવે ધોતિયે આવે એમાં એને શરમ ન આવે કેસર ગમે તેવું હોય તો ચાલે પૂજાની સામગ્રી ઓછી-વધતી હોય તોયે અહીં વાંધો ન આવે ! ધર્મના કામમાં ઓછા રૂપિયા ભરતાં આંચકો ન લાગે, પણ લગ્ન આવે તો પાંચને બદલે દશ ખરચે ત્યાં પોઝીશન સાચવે અને અહીં રૂપિયા ભરવાના વખતે કહે કે “વરસ સારું નથી' જેને ધર્મક્રિયામાં ‘વરસ સારું નથી' તેને કર્મક્રિયામાં પણ સારું વરસ શી રીતે આવે ? પ્રાયઃ ન જ આવે.
જ્યારથી ધર્મક્રિયામાં – “વરસ સારું નથી' - એમ થવા માંડ્યું છે, ત્યારથી પ્રાયઃ વરસ સારાં આવતાં નથી. જ્યારથી વૃત્તિ ફરી છે ત્યારથી પુણ્યોદય પણ પરવારી જવા જ બેઠો છે ને ? કોઈ સારાના અપવાદની વાત જુદી, પણ પ્રાયઃ ઠામ ઠામ એ જ બૂમ છે કે “મહેનત કરીને મરી ગયા પણ કમાણી નથી અને વરસ સારું આવતું નથી. વ્યવહારમાં પણ કહેવત છે કે શકુનથી શબ્દ આગળ!' આથી કહું છું કે ઉત્તમ સ્થાનમાં તો એવા અયોગ્ય શબ્દો ન જ બોલો ! ન જ આપવું હોય તો કૃપણ છીએ, આસક્તિ નથી છૂટતી' - એમ કહો !' નહિ તો વરસ સારું નથી; તો મોટું લાલ કેમ ? વરસ ખરાબ જ હોત તો મોટું કાળું ન પડત? અને વરસ ખરાબ છે તો પાટલે બેસીને ખાવા શી રીતે મળે છે? વરસ ખોટું ક્યારે કહેવાય ? શું જાય તો વરસ ખોટું ? ધર્મ ક્યારે ટકે?
ધર્મીમાં, સમ્યગ્દષ્ટિમાં કઈ માન્યતા વાસ કરે, તો એ ધર્મ કે સમ્યગ્દષ્ટિ થઈ શકે એ વિચારો. ખરે જ, ઊંધી માન્યતાઓમાં ધર્મ નથી. કોઈ કહે કે “સહેજ પૌદ્ગલિક વાસના ઇચ્છી તેમાં થયું શું?’ થયું એ કે “સુકામ તે જ કુકામ થવા લાગ્યાં સારી ક્રિયા ખોટા રૂપે પરિણમવા માંડી અને ધર્મ પણ પ્રાયઃ અધર્મની કોટિમાં જવા લાગ્યો.'
જ્યાં પોલિક સુખોને ખોટાં, અસાર, અનિત્ય, તુચ્છ, ક્ષણિક, બનાવટી અને જો લીન થઈને ભોગવાય તો પરિણામે દુઃખને આપનારાં, દુઃખની પરંપરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org