________________
953 - ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63
છે : ત્યાંથી સીધા મહાવિદેહમાં જઈ મુક્તિ જવાના છે : પણ એ પુણ્યશાળીઓના જીવનમાંથી પણ ઉપર બતાવ્યો તેવો સાર લેનારા આજનાઓ કહે કે ‘અમને સાધુઓ નાહક હાઉ બતાવે છે. આનંદાદિ શ્રાવક તો ભગવાન મહાવીરના શ્રાવક હતા, છતાંય આટલો પરિગ્રહ રાખે અને એમની મુક્તિ ન અટકે, તો અમારે તો સામાન્ય પરિગ્રહ અને અમે તો સામાન્ય મુનિના શ્રાવક, તોય અમારી મુક્તિ કેમ અટકે ? અર્થાત્ ન જ અટકે.' આવું એ માને છે અને કહે છે. -‘પણ એ ભગવાન શ્રી મહાવીરદેવના શ્રાવક આદર્શ તથા એકાવતારી બન્યા શાથી ?’ - એનો તો નિર્ણય કરો ! કોઈને આદર્શ માનો તો બધું નક્કી કરો.
કેટલાક કહે છે કે ‘ભગવાન શ્રી મહાવીરદેવના પિતા આદર્શ ખરાને ?' પરંતુ આદર્શ નક્કી કરીને કરવાનું શું ? એમની પાપક્રિયાને પકડવાની કે ધર્મક્રિયાને ? આદર્શનું અનુસરણ તો એનું નામ કે એમાંથી શુદ્ધ પકડાય ને અશુદ્ધ તજાય. દરેક માણસ મોટે ભાગે અમુક અમુક ગુણ માટે આદર્શ હોય, તો તે ગુણ લેવાય પણ એની બધી જ ક્રિયાનું અનુકરણ કરવાનું હોય ? શ્રી સિદ્ધાર્થ મહારાજને આદર્શ જીવનવાળા કહીને પછી એમણે ભોગવેલી રાજઋદ્ધિ વગેરે કાર્યવાહી તમે કરશો, તો એક પણ જીવને લાભ નહિ આપે. એમને છોડો, પણ જે ચરમશરીરી આત્મા હોય છે તે પ્રાયઃ સહેજે પુણ્યશાળી હોય અને એથી તે જન્મે પણ સારા ઘરે : એટલે કે જ્યાં ખૂબ ઋદ્ધિ-સિદ્ધિ-સાહ્યબી વગેરે સુંદર સુંદર હોય ત્યાં જન્મે. પુણ્યવાન એટલે એક માગે ત્યાં લાખ મળે : ઘર મૂકીને ભાગે તો રસ્તે મળે : એવાના જીવનના વર્ણનમાં રૂપ-રંગ-સાહ્યબી-વગેરેનું પણ વર્ણન તો હોય : એમનું જીવન વાંચવા હાથમાં લઈએ તો એ વર્ણન તો આવે : પણ જો એ રૂપ, રંગ અને સાહ્યબી તરફ આંખ ઢળી, તો એમના વિરાગ તરફ નજ૨ ન જાય, શ્રી શાલિભદ્ર, શ્રી ધન્નાજી વગેરે આત્મા તો ઉત્તમ, પણ એમના જીવનમાંથી સાહ્યબી તથા સામગ્રીને આદર્શ બનાવીએ તો શું થાય ? માત્ર ધર્મદાનમાં જ વરસ ખરાબ ?
૨૧૩
આજે બે, પાંચ કે દશ લાખની સાહ્યબીવાળાને પૂજા કરવાને ટાઇમ નથી મળતો : સાધુ પાસે જવાને ફુરસદ નથી. વ્યાખ્યાનશ્રવણ તથા સામાયિકનું તો સ્વપ્નેય નથી : એમ એ જેમની સાહ્યબીની વાત કરે છે તેવી સાહ્યબી મળે તો થાય ? એ રહે ક્યાં ? સન્નિપાત થાય કે બીજું કંઈ ? બે-પાંચ લાખવાળા બધા પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org