________________
૨૧૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -
-
992
આ રીતે જે તારકનો આત્મા જ વિરાગી, કેવળ શુદ્ધ હૃદયવાળો, ભોગને પણ રોગ માનીને જ ભોગવે, તે શ્રી તીર્થંકરદેવ પણ પચ્ચકખાણમાં સર્વ સાવઘયોગનો ત્યાગ કરે છે : એ એ જ સૂચવે છે કે “અત્યાર સુધીનું જીવન સાવદ્ય હતું, માટે જ સર્વ સાવદ્યયોગનું પચ્ચખાણ કરું છું. કારણ કે ગૃહસ્થજીવનને કોઈ પણ પ્રકારે નિરવઘ ઠરાવી શકાય તેમ નથી. એ જીવન જ એવું છે કે જેમાં આરંભ, પરિગ્રહાદિક સાવદ્ય તો બેઠું જ છે, એટલે ગૃહસ્થ જીવનને નિરારંભી કે નિરવદ્ય કહેવું, એના જેવી ભયંકર અજ્ઞાનતા બીજી એક પણ નથી. આદર્શ જીવનમાંથી લેવાનું શું?
આનંદ-કામદેવ શ્રાવક, એ આજના શ્રાવકો માટે તો આદર્શ ખરાને ? એમના જેવું જીવન જિવાય તો તરાય એ તો ખરું ને ? વારુ, એમના જીવનમાંથી શ્રાવકો શું લે તો તરે ? એમના જીવનમાંથી શું લઈ પોતાના જીવનમાં ઉતારાય તો શ્રાવકોથી એમના જેવા આદર્શ બનાય ? એમના ભંડારમાં અઢળક લક્ષ્મી હતી, એમને ત્યાં દશ હજાર ગાયોના પ્રમાણવાળાં ગોકુળો હતાં, - એવું બધું મળે તો એમના જેવા બનાય એમ ? એમના જીવનમાંથી આ લેવાનું હોય કેમ ? એટલા મળે તો ઉપાશ્રયે આવવાનું ભૂલી જાઓ કે યાદ રહે ? ભાગ્યશાળીઓ! એ પુણ્યશાળી પુરુષોનું જીવન તો ઘણુંય મજેનું છે, પણ એમાંથી લેવાનું શું ?, એ જ સમજવા જેવું છે.
દરેક જીવનચરિત્ર વાંચતાં પહેલાં નક્કી કરો કે શા માટે વાંચવું?' જો એ નક્કી ન થાય તો પુણ્યવાનના જીવનમાંથી પણ પાપની કરણી ઉપાડાય. આજે શ્રી આનંદ અને કામદેવ જેવા પરમ શ્રાવકોના જીવનમાંથી પણ શું લેવાય છે? એમની કેટલી ઋદ્ધિ-સિદ્ધિ ? આટલી બધી તો લક્ષ્મી, આવો તો જંગી વેપાર, પાંચસો પાંચસો હળ ખેડે એટલી તો જમીન, આટલું કરવા છતાંયે એમની મુક્તિ થવાની છે, તો આપણે આટલો થોડો આરંભ-સમારંભ કરીએ તેમાં આપણી મુક્તિ કેમ અટકી જાય ? અર્થાત્ ન જ અટકે.” આજે એમના જીવનમાંથી આ લેવાય છે. એમણે પરિગ્રહનું પરિમાણ કર્યું, લાલસા પર કાપ મૂક્યો, પ્રતિમા ધારી બન્યા, દેવોના ઉપસર્ગમાં પણ અડગ રહ્યા – એ બધું લેવાની તો શું, પણ એ તરફ જોવાની પણ બાધા હોય, એવો આજનો વર્તાવ છે.
શ્રી આનંદ અને કામદેવ વગેરે શ્રાવકો એકાવતારી છે અત્યારે દેવલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org