SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 98ા – ૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : - 63 – ૨૧૧ ખબર? એ તો જે કમાય જ જાણે : ખરચવાનું તો કહે પણ લાખ કમાવામાં પડતી મહેનત એ ક્યાં જાણે છે ?” સભા : ગુરુ ચમત્કાર બતાવે તો? હજી ચમત્કાર ન ભૂલ્યા. તમે લેપાઓ તેમ નથી અને તરશો એવી ખાતરી થશે તો ગુરુ તેમ પણ કરશે, પણ જેની પાસેથી ચમત્કાર જોઈએ તેના પર શ્રદ્ધા તો જોઈએ ને ? ચમત્કાર પણ પાત્ર ઉપર, કપાત્ર ઉપર નહિ. ભવિષ્યમાં તમને સુખી બનાવવા કે દુઃખી એ કહો. પહેલી તો વાત એ છે કે ધર્મની ઇચ્છાને બદલે ચમત્કારની ઇચ્છા કરનારમાં સમ્યક્ત્વ રહે ? પૈસા ચમત્કારથી કે ગમે તેમ આપ્યા પછી ગૃહસ્થ નિરારંભી થવાનો છે ? લાખ લઈને પણ છકાયની વિરાધનાથી અટકવાનો છે ? સાવધ-યોગનું પચ્ચકખાણ શા માટે? આ પ્રસંગે એક ભાઈ તરફથી કોઈ એક વાતનું નામ લઈને પ્રશ્ન પુછાયો, ત્યારે પૂજ્ય પ્રવચનકાર મહાત્માએ ઉત્તરમાં ફરમાવ્યું કે વાત આખી લાવો. આજકાલ વાતોમાંથી અમુક વાતોને ઊલટા રૂપમાં લઈ જવામાં આવે છે એ સમજો. આખી વાત પ્રમાણ સાથે લાવો, એટલે તરત એ વાતમાંથી જ સમાધાન મળી શકે. ઊલટું જ કાઢનારા આજે તો શ્રી કલ્પસૂત્રમાંથી પણ અખાડા તથા નાહવું-ધોવું, એ વગેરે વગેરે કાઢે છે ને ? ભગવાન શ્રી મહાવીરદેવના આખા જીવનમાંથી પણ વળગનારા વળગ્યા કોને ? અભિગ્રહને ને ? આથી કથા આપનાર તથા લેનારની દૃષ્ટિ શદ્ધ હોવી જ જોઈએ. ગૃહસ્થ જીવન, એ નિરારંભી જીવન નથી, એ વાત સર્વથા સત્ય છે. શ્રી તીર્થંકરદેવ જેવા પણ અણગારિતાનો સ્વીકાર કરતાં સર્વ સાવઘયોગનું જાવજીવનું પચ્ચકખાણ કરે છે. જો ગૃહસ્થ જીવન નિરારંભી હોત, તો શ્રી તીર્થંકરદેવને આ પચ્ચકખાણની જરૂર જ નહોતી. શ્રી તીર્થંકરદેવ તો ગૃહસ્થપણામાં પણ વિરાગી હતા. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગ પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું કે “વા રાજકી-સર્વથા નાથોજપુન્યા અત્ર તત્ર રતિ, વિરત્વે તજ તે પાર” “હે નાથ ! જે લક્ષ્મીના ભોગવટામાં જ્યાં-ત્યાં રતિનો અનુભવ છે, તે દેવલમી અને નરેન્દ્રની લક્ષ્મીને આપ જ્યારે ભોગવતા હતા, ત્યારે પણ આપનું વિરક્તપણું જ હતું, એટલે કે એવી લક્ષ્મીના ભોગવટામાં પણ આપ તો વિરક્ત જ હતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy