________________
૨૧૦
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
950
માનવાં, એને સેવવામાં આનંદ માનવો, એ પણ મિથ્યાત્વ જ છે. જો એમ ન હોત તો મિથ્યાત્વ રહેત ક્યાં ? છતાંય ખૂબી તો એ છે કે “પાછું ધર્મના ફળ તરીકે પણ એ જ !” આ તો માત્રા વધી ગણાય. જે ધર્મ મુક્તિનું સાધન તે જ દ્વારાએ આ મગાય, તો સમ્યકત્વ શી રીતે રહી શકે ? ભગવાનને કહેવા વીતરાગ અને રાગની સામગ્રી આપો' - એમ એમની પાસે રાગની સામગ્રી માગવી, એના જેવી ભયંકર દુર્દશા બીજી કઈ હોય? સાધુને કહેવા નિગ્રંથ અને – “અમારી ગાંઠો તમે વાળી આપો, અમને પરિગ્રહ મળે તેવું કાંક કહી બતાવો.' - એમ કહેવું ઓછું અજ્ઞાન છે ? આનો અર્થ તો એ કે “વીતરાગના વીતરાગપણ' તથા નિગ્રંથના નિગ્રંથપણા પ્રત્યે સાચી પ્રીતિ જાગી નથી.' ઘર બાળીને તીરથ ન થાય !
સભા : લાભાલાભ જોવાય ને ?
તમે વ્યવહારમાં કહો છો ને કે “ઘર બાળીને તીરથ ન થાય' - એનો આશય અહીં લાગુ કરો ! એવી ભાવનાથી પરિણામે અહીં તો વસ્તુ જ નાશ પામે છે : બીજ બળી જાય છે. બીજ રહે તો વાત જુદી. બીજ શેકીને ફળની (લાભની) આશા કેમ રખાય ? લાભની આશાવાળાએ બીજને નહિ શેકવું શેકાઈ જવું પડે તો પોતે શેકાઈ જવું પણ બીજ નહીં શેકવું. ધર્મી બનવામાં કે બનાવવામાં સાધન તો શ્રી વીતરાગની વીતરાગતા છે અને નિગ્રંથની નિગ્રંથતા છે. એ બે મુક્તિનાં સાધન છે. આ મુદ્દો જો ન સમજાય અને લાભાલાભના બહાને બીજ બાળે, તો એ શ્રી વીતરાગદેવની અને નિગ્રંથ ગુરુદેવોની ભક્તિ કરવાને બદલે વખતે ઊલટી આશાતના કરે છે.
“પદ્ગલિક સુખ અનિત્ય છે. અસાર છે, ગમે ત્યારે વિના પૂછયે પણ ચાલ્યું જવાનું છે અને રહે તો પણ પરિણામે દુઃખરૂપ છે.” - આ વાત સમ્યગ્દષ્ટિની સમજ બહાર હોય ? પૌદ્ગલિક સંયોગની રસિકતાથી વર્તમાનમાં પણ સુખ છે કે નહિ, - તે તમારા આત્માને જ પૂછો. ખરેખર, થોડા સુખની લાલસાએ પારિણામિક ઘણા દુઃખને ભુલાવ્યું છે. વ્યવહારમાં લાખની લાલસાવાળાને આઠ આઠ દશ દશ કલાકની કે તેથીય વધુ મહેનત પણ મહેનતરૂપ લાગતી નથી : લાગે તો છે પણ એ ગણતો નથી. અવસરે કહે પણ કે “લાખ કેમ કમાવા તે અમે જાણીએ. સાધુ તો ખરચવાનું કહે પણ લાખ કેમ મળે તેની સાધુને શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org