________________
949
-
૧૩ : શાસનના શત્રુને, સ્વભક્ત બનાવાય નહિ : 63
-
અતિશયોને પણ પાખંડરૂપ માનતા. સકલ સંશયને છેદનાર સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશના આપનાર છતાં, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓને ધર્મ પરિણમે નહિ.
Jain Education International
૨૦૯
પરિણામભેદે ધર્મ પણ અધર્મ !
શ્રી તીર્થંકરદેવોના અતિશયોમાં મુખ્ય અતિશય તો એ છે કે ‘દરેકના સંશય એકીસાથે છેદે : સકળ સંશયો એકીવખતે છેદે : સાંભળતી વખતે કોઈ શંકિત ન થાય : શંકા થતાં તરત વગર પૂછ્યું સમાધાન : અને સૌ પોતપોતાની ભાષામાં સમજે એટલે કોઈ ન સમજે એમ પણ ન બને. શ્રી તીર્થંકરદેવ પોતે તો ત્યાગની મૂર્તિ છે : એમને રાગ કે મમત્વ કાંઈ નથી : કેમ કે વીતરાગ થયા છે. એવા પ્રભુ દેશના દે તો પણ મોહથી વીંટાયેલા આત્માને ધર્મ પરિણામ પામતો નથી. પરિણામભેદે ધર્મ એ પણ અધર્મ થાય. આથી જ જ્ઞાનીએ ક્રિયાને પાંચ અનુષ્ઠાનમાં વહેંચી છે. જે અનુષ્ઠાન મુક્તિનાં સાધન તે જ અનુષ્ઠાન આ લોકની કે પરલોકની પૌદ્ગલિક સુખની ઇચ્છાથી કરવામાં આવે તો એ ક્રિયા વિષક્રિયા કે ગરલક્રિયા થઈ અને તેથી તે જ અનુષ્ઠાન મોક્ષને બદલે સંસારનાં સાધન બની જાય. ‘બધા કરે માટે કરવું.’ - એ ગાડરક્રિયા તે અનનુષ્ઠાન. એ ત્રણે મિથ્યાદૃષ્ટિને હોય : સમ્યગ્દષ્ટિને આ ત્રણ અનુષ્ઠાન ન હોય : આ ત્રણ હોય તો સમ્યક્ત્વ ન ટકે. મિથ્યાદષ્ટિને તો આ ત્રણથી પણ ક્વચિત્ લાભ થાય : લાભ થવો સંભવિત છે એટલે થવો હોય તો થાય. અધિકારી ભેદ અને અધિકાર ભેદ તો ઊભો રહેવાનો. સ્વયં મિથ્યાદ્દષ્ટિ હોય તેને ઓઘદૃષ્ટિ ન જ હોય અગર સર્વથા પૌદ્ગલિક લાલસા ન જ હોય એ ન બને, હોય અને એ રીતે આવ્યા બાદ સ્વરૂપ જણાતાં એનો ત્યાગ કરે. એટલે એથી પણ તેને લાભ થવો સંભવિત ! પણ સમ્યગ્દષ્ટિને એ લાલસા થાય તો સમ્યકૃત્વ કેમ રહે ? સમ્યગ્દષ્ટિ હોવા માત્રથી જ એવાં અનુષ્ઠાનોનો નિષેધ છે, કારણ કે પુદ્ગલનાં સુખોને સારાં મનાય ત્યાં સમ્યકૃત્વ આવેય ક્યાંથી ને ટકેય ક્યાંથી ? ‘પૌદ્ગલિક સુખો ક્ષણિક છે, બનાવટી છે, પરિણામે દુઃખને લાવનારાં છે' - આવી સમ્યગ્દષ્ટિની સમજ હોય છે. પૌદ્ગલિક સુખ સંયોગજન્ય છે, જેનો સંયોગ તેનો વિયોગ નક્કી છે, સંયોગની સેવા વખતે પણ કર્મબંધ થાય છે અને અશુભ કર્મનો વિપાક ભયંકર છે.' - એમ સમ્યગદૃષ્ટિ સમજે છે. પૌદ્ગલિક સુખને સારાં
For Private & Personal Use Only
www.jainelibrary.org