________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
ત્યાં સુધી તેને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ ઉપર વાસ્તવિક પ્રેમ પણ શી રીતે થાય ? ઘણાને હિંસા પણ યોગ્ય લાગે છે અને મૃષા વગેરે પાપોથી ટેવાઈ ગયા છે એટલે એમાં પણ પાપ જેવું કાંઈ લાગતું જ નથી, કારણ કે એ આત્માઓને જીવોના સ્વરૂપની વાસ્તવિક માહિતી નથી. અથવા તો એમને માહિતી હોવા છતાં પણ એના ઉપર જોઈતી શ્રદ્ધા નથી. આથી એ જ સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનીઓના કથન ઉપર પૂર્ણ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી આત્મા સામાને અગર પોતાને પણ ધર્મમાં પરિણત કરી શકતો નથી.'
“શ્રી તીર્થંકરદેવો પરના ભલાને માટે દેશના આપે છે.' - આ સાંભળીને કેટલાકો એમ કહે છે કે “તે તો વીતરાગ છે, એટલે પરના ભલાની પણ ભાવના ન હોય : માટે તીર્થકરને તીર્થ ન હોય, એ ઉપદેશ પણ ન આપે અને એમને ઉપદેશ આપવાના પણ ન હોય તેમજ એમને સમુદાય કે સંઘ કંઈ ન હોય !” પણ આ સંબંધમાં આપણે સમાધાન કરી ગયા છીએ કે “એ બધું શ્રી તીર્થંકર નામકર્મના વિપાકને લઈને થાય છે. એ વાત ખરી કે “કેવળજ્ઞાન થયા પછી ઇચ્છા નથી હોતી” – છતાંય શ્રી તીર્થંકર નામકર્મના વિપાકને લઈને એ બધું થાય જ.
નદીનું પૂર જોશભેર ચાલ્યું આવતું હોય અને એના માર્ગની વચ્ચે આડા પહાડ હોય તોપણ, જો વેગ ચાલુ રહે તો પાણી પોતાનો માર્ગ પોતાની મેળે કરી જ લે : પાણી બહાર ઊછળીને પણ આવે : અરે, પહાડને ભેદીને પણ આવે ! તેવી રીતે તે તારકોએ “સવિ જીવ કરું શાસનરસી' - એ ભાવનાને એવી મજબૂત બનાવેલી હોય છે કે એના યોગે શ્રી તીર્થકર નામકર્મને નિકાચિત કર્યું ત્યારથી કેવળજ્ઞાન થયું ત્યાં સુધી જે ભાવનાથી તીર્થંકર નામકર્મ નિકાગ્યું તે જ ભાવનાને પણ ખૂબ ખૂબ સીંચી : એવી સીંચી કે કેવળજ્ઞાન થયા પછી એમાંથી ઉપકારકતાના પ્રવાહો સ્વાભાવિક જ વહ્યા કરે છે. એ ઉત્કૃષ્ટ પુણ્યના યોગે સમવસરણ રચવાની તથા તમામ દિવ્ય સામગ્રી ખડી કરવાની દેવોને પણ બુદ્ધિ થાય છે. કર્મક્ષયથી થતા અતિશયો તો જુદા, પણ દેવતાઓ એમની મેળે સ્વયં આ બધી સામગ્રી ઊભી કરે ! એ અતિશય પણ એ તીર્થકર નામકર્મ (પુણ્ય)ને યોગે જ ! દેવતાઓ એવી અનુપમ સામગ્રી ખડી કરે કે લઘુકર્મી આત્મા ત્યાં આવીને પામ્યા વિના રહે જ નહિ : છતાં એવા પણ આત્માઓ હતા કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org