________________
૧૩ : શાસનના શત્રુને સ્વભક્ત બનાવાય નહિ :
ધર્મ ક્યારે પરિણમે ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ શ્રી ‘આચારાંગ’ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના ‘સ્વજનધૂનન’ નામના પહેલા ઉદ્દેશાની પીઠિકા કરતાં સમજાવી ગયા કે ધર્મ કહે કોણ ? ધર્મ કહે ક્યારે ? - કોને કોને કહે ? અને શ્રી તીર્થંકરદેવોએ પણ કહેલો ધર્મ કયા જીવોને રીતસર પરિણમે ?' અને આપણે એ પણ જોયું કે ‘શ્રી તીર્થંકરદેવો, શ્રી અતીન્દ્રિય જ્ઞાનીઓ એટલે કેવળજ્ઞાનીઓ અને શ્રી શ્રુતકેવળી ભગવાનો, એ ત્રણ જ પ્રકારના આત્માઓ સ્વતંત્રપણે ઉપદેશ દઈ શકે : બીજાઓ સ્વતંત્રપણે ધર્મ કહી શકતા નથી, કારણ કે બીજાઓ સ્વતંત્રપણે જીવાજીવાદિકનું સ્વરૂપ જાણી શકતા નથી.' બીજાઓ એમનું કહેલું કહે માટે એ સ્વતંત્ર ઉપદેશક કહી શકાય નહિ, આથી સ્પષ્ટ છે કે ‘સમ્યક્ પ્રકારે જીવાજીવાદિકનું સ્વરૂપ ન જણાય ત્યાં સુધી ધર્મદેશના દઈ શકાય નહિ.’
ધર્મદેશના, એ આત્માને સંસા૨થી મુક્ત કરવા માટે છે. જ્યાં સુધી આત્મા સ્વહિંસાથી બચવા માટે પરહિંસાથી ન બચે, ત્યાં સુધી મુક્ત થઈ શકે તેમ પણ નથી. માટે પ્રથમ તો એ જ વિચારવાનું કે ‘એ હિંસા ક્યારે રોકાય ?' ‘ત્યારે જ કે જ્યારે જીવાજીવાદિનુ સ્વરૂપ સમ્યક્ પ્રકારે સમજાય અને સમજપૂર્વક એનો અમલ કરવામાં આવે.’ કારણ કે ‘જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી એને હિંસાથી, મૃષાથી, ચોરીથી, મૈથુનથી કે પરિગ્રહથી પાપ લાગે છે એમ પણ ન સમજાય.' હિંસાથી સામાનો પ્રાણ જાય છે, એને દુઃખ થાય છે, મૃષાથી તથા ચોરીથી પણ સામાને દુઃખ થાય છે, મૈથુનથી પણ જીવોનો વિનાશ થાય છે અને પરિગ્રહથી પણ હજારોને પીડા થાય છે, - આ બધું સમજાય ક્યારે ? જીવાજીવાદિનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાય ત્યારે જ. આ હિંસાદિક તજવાનું શા માટે ? એટલા જ માટે કે બધી ક્રિયાઓ સામાને પીડા કરનારી છે માટે ! જે પ્રાણીને જ ન માને, જે જીવના સ્વરૂપને જ ન સમજે અને જ્યાં સુધી તેવા જ્ઞાનીના કથન ઉ૫૨ જેને સાચો પ્રેમ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org