________________
૧૩: શાસનના શગુને, સ્વભક્ત બનાવાય નહિ | 63
• ધર્મ ક્યારે પરિણમે ? • પરિણામભેદે ધર્મ પણ અધર્મ ! " • ઘર બાળીને તીરથ ન થાય ! • સાવઘ-યોગનું પચ્ચખાણ શા માટે ? • આદર્શ જીવનમાંથી લેવાનું શું ? • માત્ર ધર્મદાનમાં જ વરસ ખરાબ ? • ધર્મ ક્યારે ટકે ?
૦ કરતા નથી કે કરી શકતા નથી ? • સારા સંજોગોના સેવનથી સારાં પરિણામ : • અભવી ધર્મ કઈ ઇચ્છાથી કરે ? • પ્રભુના દુશ્મન અને સાધુના ભક્ત ? ૦ સામાયિકથી પણ સંયમની જ ભાવના ! • ધર્મવિરોધીઓની તલવાર અને આપણી ઢાલ :
વિષયઃ પાંચ અનુષ્ઠાનોન ભેદ - અલગ પરિપ્રેક્ષ્યમાં આદર્શ શા માટે ? સારા
સંયોગોનો અભ્યાસ ચાલુ રાખ - શાસનના વિરધી પ્રત્યે વર્તાવ. પૂર્વનાં અનેક પ્રવચનોનો ટૂંકમાં ઉપસંહાર કરી બીજા અનેક નવા વિષયોને અત્રે ચાલના આપી છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિની સમજ શું શું હોય છે ? તીર્થંકરદેવ માટે પણ પચ્ચકખાણની જરૂર ? આદર્શભૂત મહાપુરુષોના જીવનમાંથી પણ કઈ વસ્તુ લેવા યોગ્ય તેનો વિવેક, ધર્મ વિનાના લક્ષ્મીવાનોની દશા, ધર્મ કરવાની ઇચ્છા છતાં ન કરી શકનારની ભાવના, ત્રણ અનુષ્ઠાન તો મિથ્યાત્વીનાં વગેરે બાબતોને સારી રીતે સ્પર્શી મુખ્યતઃ શાસનનો, પ્રભુનો વિરોધી હોય તેને ભક્ત મનાય - બનાવાય કે નહિ અને એવાને ભક્ત માનવા-બનાવવામાં પ્રભુશાસનનો, પરિણામે સ્વનો પણ દ્રોહ કઈ રીતે થાય તે વાત વિસ્તારથી ચર્ચા છે.
મુલાક્ષાગૃત • ધમ બનવામાં કે બનાવવામાં સાધન તો શ્રી વીતરાગની વીતરાગતા છે અને નિગ્રંથની નિગ્રંથતા
છે. આ બે મુક્તિનાં સાધન છે. ૦ આદર્શનું અનુસરણ તો એનું નામ કે એમાંથી શુદ્ધ પકડાય ને અશુદ્ધ તજાય. • ધર્મ ન પામેલા લક્ષ્મીવાનો છતી લક્ષ્મીએ પણ દુઃખી જ છે. • ભાગ્યશાળી આત્માને ઉત્તમનો સહવાસ તો જેમ જેમ વધુ, તેમ તેમ વધુ જ લાભ ! તેનામાં
ઉત્તમતાના જ રંગ વધે ! • સારાં પરિણામ ટકવાં કઠિન છે, માટે તો સારાં પરિણામ ટકે તેવા સંજોગોને રોજ સેવવા
જોઈએ, વારંવાર સેવવા જોઈએ. બહુમાનપૂર્વક સેવવા જોઈએ. • સમવસરણની સાહ્યબીની કે પૂજાવાની ભાવના આવી કે મુક્તિ અટકી એમ સમજો ! • શ્રોતા પ્રત્યેની શરમ અને પરવા ઘટે તો જ ધર્મ કહેવાય. • જેને પ્રભુ ન ગમે, જેને પ્રભુનો માર્ગ જ ન ગમે અને જેને પ્રભુનાં આગમ જ ન ગમે, તને અમે
શી રીતે ગમીએ ? • જેમ ધર્મવિરોધીથી અલગ રહેવાનું કહું છું, તેમ અમે પણ જો પ્રભુના માર્ગથી વિપરીત જતા કે કહેતા જણાઈએ, તો અમારાથી પણ આઘા જ રહેવાનું કહું છું.
બે ઘડીનાં સામાયિકમાં આત્મકલ્યાણ માનનારો જિંદગીનાં સામાયિકને કેમ ન ઝંખે ? અને જિંદગીનાં સામાયિક પ્રત્યે લાલ આંખ કરનારમાં બે ઘડીનું સામાયિક હોય જ ક્યાંથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org