________________
As
૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62–-
૨૦૧૫
જિનેશ્વરદેવની આજ્ઞાને વાજબી કે ગેરવાજબી, ઊઠાં સુધી ભણેલા ઠરાવવા બેસે ? અને અમુક કૃત્ય જિનાજ્ઞા મુજબનું છે કે નહિ, તે સંસારના લોલુપ, આગમના અજાણ ને ટૂંકી તથા તુચ્છ બુદ્ધિના નક્કી કરે ? અને તેને આગમ વિરુદ્ધ છે, એમ આગમના જાણકાર કહે તો એમનીય ઠેકડી કરવાની અધમતા સેવે, એવા નાલાયકો જિનાજ્ઞા જેવી વસ્તુને તોળી શકે ? ગીતાર્થો ભેગા થશે, સંઘ ભેગો થશે ત્યારે બધું થશે. એ જે થશે તે આગમને જોઈને થશે. આજ્ઞા કઈ રીતે વધુ પળાય, તેવા પ્રયાસો બધા કરી શકીએ. આ ભાઈને મનાવવા હોય તો જે રીતે મનાવાય તે બધી રીતે મનાવીએ. તેવી રીતે આજ્ઞા કઈ રીતે પાળી શકાય તેના ઉપાયો બધા લઈએ. પણ આજ્ઞાની સામે આક્રમણ ન હોય. આજ્ઞા દીપાવવાના વિચારો હોય. આજ્ઞાને હૈયામાં ઉતારવી કઈ રીતે, રાખવી કઈ રીતે તે વિચારો. જ્ઞાનીને જરૂરની ન લાગી હોત તો રાખત શું કરવા ? જરૂરનું ન લાગ્યું તે તો સાથે લઈ ગયા. ચૌદ પૂર્વ ગયા, દૃષ્ટિવાદ ગયું, માત્ર રાખવાજોનું રાખી ગયા. જે રાખ્યું તે આ જમાના માટે તો શું પણ રહેશે ત્યાં સુધીના જમાના માટે કરવા યોગ્ય જ એમાં શંકા નહિ. જિનકલ્પ, ક્ષપકશ્રેણિ વગેરેનો નિષેધ કર્યો. જેનાથી વસ્તુનો દુરુપયોગ થાય તે ગયું. મહિમાવંતા સ્તોત્રોમાંથી અક્ષરો કાઢી લીધા. દેવતા આવતા રાખ્યા હોત તો સટ્ટાની ખોટ પુરાવત ! તમે દેવતા પાસે કરાવત શું ? આગળ આચાર્યોએ પરિવર્તન કર્યા છે, પરંતુ તે પણ ગીતાર્થોની સંમતિથી, આગમને અનુસરીને ? એ પરિવર્તનો શાસ્ત્રાનુસારી હતાં.
સભા : વિધિસૂત્ર નિષેધમાં અને નિષેધસૂત્ર વિધિમાં લઈ જવાય?
નહિ. જો લઈ જાય તો બધું જ બગડી જાય. એ તો આજ્ઞાનો અપલાપ. એમ કરે તો તે નિહ્નવ કોટિમાં જાય. ચોપડામાં જમાના ઉધાર અને ઉધારનું જમા થાય ? આખો વિપર્યાસ થાય ! જમાનું ઉધાર અને ઉધારનું જમા કોણ કરે? મૂ પણ એવું ન કરે. વિધિસૂત્રને નિષેધમાં કે નિષેધસૂત્રને વિધિમાં લઈ જનાર જેનશાસનનાં સાધુ-સાધ્વી-શ્રાવક કે શ્રાવિકા મનાય નહિ, પણ ઘૂસણખોર મનાય. એવાથી તો બચવા પ્રયત્ન કરવો જોઈએ.
હવે - “સંયમના અનુષ્ઠાનમાં પણ આત્માઓ ખેદ શાથી પામે છે ?' - આ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર મહારાજા કયાં કયાં દૃષ્ટાંતો દ્વારા શાં સમાધાન આપે છે” - વગેરે વર્ણન આપણે જોશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org