________________
૨૦૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -----
-
w
ન થાય! જો એ રીતે હિંસા જ લાગતી હોય, તો મુનિ મુનિપણું ન પાળી શકે અને શ્રાવક શ્રાવકપણું ન પાળી શકે ! મુનિ પણ ચાલે હરે ફરે : આહારપાણી કરે : એમ છતાંય મુનિ ષકાયના રક્ષક ખરાને ? શાથી ? વિહાર કરે, ઊઠે, બેસે, બધી ક્રિયા ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક કરે તો મુનિ હિંસક કે અહિંસક ? શાસ્ત્ર કહે છે કે “અહિંસક'. વિધિ છે કે “ઇર્યાસમિતિપૂર્વક, ઉપયોગ રાખીને, કોઈ જીવ ન મરે એ ભાવનામાં લીન રહી ચાલતા મુનિના પગ નીચે જંતુ આવી જાય અને કદાચ મરી જાય, તોય તે મુનિ અહિંસક છે અને બેદરકારપણે ચાલે, ઇર્યાસમિતિ ન પાળે, અને એના પગ નીચે જીવ ન મરે, તો પણ તે મુનિ હિંસક છે.
અર્ણિકાપુત્ર આચાર્યને નદી ઊતરતાં દેવે ઉછાળ્યા : ભાલા ઉપર ઝીલ્યા : એમની કાયામાંથી નીકળતા લોહીની ધારાથી નીચેના અપ્લાય વગેરે જીવોની વિરાધના થતી હતી, છતાં આચાર્યને કેવળજ્ઞાન થયું. શાથી ? એ વખતે એમની ભાવના એ હતી કે “અરેરે ! મારા કાયયોગથી અકાયાદિ જીવોની વિરાધના થઈ રહી છે : અરે એ કાયા ક્યારે છૂટે !' પણ “ઓ બાપરે ! ભાલો વાગ્યો' - એ ભાવના ન થઈ. એ થાત તો હિંસા લાગત. આ તો સપક શ્રેણિએ ચડી કેવળ પામી મુક્તિએ ગયા. અરે, કેવળજ્ઞાની ઊભા હોય ત્યારે પણ, એમની કાયા સાથે અથડાઈ ને કેટલાય જીવો મરે એને હિંસા મનાય ? એ હિંસા થાય છે પણ એના પાપના ભાગીદાર એ નથી. પરિણામ, ભાવના એમનાં ઊંચા છે : એમની ક્રિયા જોઈને પણ દેખનારને થાય કે “ધન્ય મહર્ષિ !” એટલે શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલી ક્રિયા, આજ્ઞાસિદ્ધ ક્રિયામાં પ્રશ્ન જ ન હોય. શ્રી આત્મારામજી મહારાજે ત્યાં આગમમાંથી બતાવ્યું, કે તરત શ્રી વિપ્નચંદજી મહારાજે સત્યનો સ્વીકાર કર્યો.
આજ તો કહે છે કે “આગમની વાત આ કાળમાં યોગ્ય છે કે કેમ ?' ત્રણ લોકના નાથ , ત્રણે કાળના એકસરખા જ્ઞાનીની વાતમાં પોતાની બુદ્ધિનો આ ઉપયોગ હોય ? એમ કરે એ આત્મા આજ્ઞાથી અપરિણત થયો ગણાય. આજ્ઞા ન મળે તે બને, પણ એને શ્રદ્ધાપૂર્વક માને અને પાળે તેને ધન્ય' – એમ માને તે આત્મા આજ્ઞાથી પરિણત. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વાજબી કે ગેરવાજબી, એ ન્યાય આપનાર તું કોણ? તારી શક્તિ શી? વાદી-પ્રતિવાદીનો ન્યાય કોણ ચૂકવે ? જજ; તે પણ મધ્યસ્થ જોઈએ. નહિ જેવા ઝઘડા માટે આવે તો શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org