________________
૨૦૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
આજ્ઞાની યોગ્યતા વિચારવાની શક્તિ વધુ કોની ? જ્યાં આજ્ઞા કરનાર ‘સર્વશ’ હોય અને જ્યાં એ આજ્ઞાને સમજાવનાર ‘આજ્ઞાનુસારી નિગ્રંથ ગુરુ' હોય, ત્યાં એવો વિચાર એ પણ એક પ્રકારની આશાતના જ ગણાય. જ્યાં યોગ્યતા માની, જ્યા શ્રેય માન્યું ત્યાં તો એવા પરિણત થવું જોઈએ કે ત્યાં પછી આજ્ઞાની સામે દોષની સંભાવના ઊભી ન થાય.
જ
એ જ રીતે આતુરતા એટલે ચાપલ્ય, એ પણ દોષ છે. કાર્ય આરંભ્યું કે એ આતુરતા એટલે ઉતાવળ ન જોઈએ. ઉત્સાહ જોઈએ, મહેનત જોઈએ, બળવીર્યનો ઉપયોગ જોઈએ : ઉતાવળથી કામ બગડે. અમુક લોગસ્સનો કાઉસ્સગ કરવો, એવી આજ્ઞા હોવા છતાંય,-‘વધુ ગણીએ તો ઠીક'-એમ વિચારીને વધુ ગણે તે અજ્ઞાનતા કહેવાય : પણ ‘આટલો જ કેમ ? વધુ કેમ ન ગણાય ?' - આમાં અતિપરિણત દોષ છે. પહેલામાં અજ્ઞાનતા છે પણ આજ્ઞાથી ઉપરવટપણું નથી, જ્યારે અહીં આજ્ઞા ઉલ્લંઘન (ઉપરવટપણું) છે. રસોઈ કરતાં સ્ત્રી જાણે કે ખીચડીમાં રૂપિયાભાર મીઠું નખાય, પણ રૂપિયાભારથી આટલી મિઠ્ઠી થાય તો દશ રૂપિયાભારથી વધુ થાય, એમ ત્રિરાશી માંડે અને નાખે તો, જેટલાને પીરસે તેટલાને થૂથુ જ કરાવે. ક્રિયામાં જે વિધિ હોય તેમ થાય. અમુક કાઉસગ્ગમાં આટલા જ લોગસ્સ, તે તેટલા જ કરવા જોઈએ. સામાન્ય રીતે વધુ કરીએ તો ઠીક' - એમ ધારી કરે તો અજ્ઞાન દોષ કે અવિધિ દોષમાં લઈ જવાય, પણ ‘વધુ કરવામાં હ૨કત શી ?' - એ ભાવના થાય તો અતિપરિણત દોષ.
942
આગમ કહે તે સાચું !
સ્વર્ગત પરમારાધ્ય ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજાએ, શ્રી વિશનચંદજીને એક જ યુક્તિથી બોધ કર્યો હતો. ‘મૂર્તિને ન માનવી' - એ માન્યતા ત્યાં હતી. એમાં આરંભસમારંભ છે માટે ન માનવી આવી માન્યતા હતી : એ કઈ રીતે સમજે ? ગુરુને ખબર મળી હતી કે ‘શ્રી આત્મારામજી મૂર્તિને માનનાર થયા છે અને જેને-તેને બગાડે છે.’ એ પરથી વિશનચંદજીને પણ ગુરુએ નિયમ કરાવ્યો હતો કે ‘તારે આત્મારામજીને મળવું નહિ, એની પાસે જવું નહિ.’ એક ગામમાં બે ભેગા થયા. ‘વિશનચંદજીને નિયમ કરાવ્યો છે' એની ખબર શ્રી આત્મારામજી મહારાજાને પડી હતી. શ્રી આત્મારામજી મહારાજાએ વિચાર્યું કે ‘એમને નિયમ છે, મને નથી.’ - એમ ધારી પોતે ત્યાં ગયા. ગયા એટલે બોલાવવા તો પડે ને ? ‘પધારો, પધારો’ - કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org