SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ‘એ સાધુ આટલી આટલી રીતે ખાતરી કરી ચાલ્યા આવે છે !’ રાજા પણ ખુશ થયો : સાધુના વિનય માટે એને બહુમાન જાગ્યું. આ ક્યારે થયું ?સુગુરુની આજ્ઞાથી મુક્તિ - ગળણ્ ધો, એમ શિષ્ય સમજતો હતો માટે ! ૨૦૧ સુગુરુ ગાંડી લાગતી પણ આજ્ઞા કરે, તો પણ ત્યાં કંઈ હેતુ હોય જ એમ શિષ્ય માને. ત્યાં શિષ્યમાં ફેરફાર થાત, તો રાજાને શાસન પ્રત્યે આટલો સદ્ભાવ ન થાત. એ સાધુ આવીને પણ કહે છે કે મેં આટલી આટલી રીતે તપાસ કરી જાણ્યું છે કે, ગંગા અમુક દિશામાં વહે છે : લોકોને પૂછીને, આંખે જોઈને, તથા તરણાં તરતાં જોઈને મારાથી બનતી ખાતરી કરી છે, છતાં તત્ત્વ તો આપ જાણો.' આ વિનય ! હજી ગુરુને કહે છે કે ‘છતાં તત્ત્વ આપ જાણો.’ ‘આમ જ' - એમ નહિ ! રાજા પણ વિચારે છે કે ‘જો રાજપુત્ર ગાદી માટે વિનય કરે, તો મુક્તિ માટે સાધુ આટલો વિનય કરે એમાં નવાઈ શી ?' સુગુરુએ બતાવેલી ક્રિયામાં શંકા, મૂંઝવણ તેનું નામ અતિપરિણત દોષ. ગૌતમ મહારાજા એક એક ક્રિયાનું રહસ્ય સમજતા હતા : અસંખ્યાતા ભવો જોઈ શકે એવું અવધિજ્ઞાન હતું : ચાર જ્ઞાનના ધણી હતા : પણ ભગવાનની આજ્ઞા વખતે એક પણ વખત વિચાર કરવા થોભ્યા છે ? ભગવાને એમને ખેડૂતને પ્રતિબોધ કરવા મોકલ્યા ત્યારે પોતે ધારત તો ઉપયોગ મૂકી શકત, પણ નહિ, ગુરુઆજ્ઞામાં વિચાર જ નહિ. સંપૂર્ણ શ્રદ્ધા ત્યાં ઉપયોગ મૂકવાની જરૂર જ શી ? એમાં તો વગર વિચાર્યે જ આજ્ઞાપાલન જ કરાય. ખેડૂતને હળ ખેડતાં ખેડતાં સંસારની અસારતાનો ઉપદેશ કર્યો ; ત્યાં જ ઓધો આપ્યો : તે પણ ત્યાં જ હળ મૂકીને હાલ્યો. ઘર ઘરને ઠેકાણે રહ્યું. રસ્તામાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. રસ્તામાં ભાવના ભાવતાં એ ખેડૂત સમ્યકૃત્વ પામ્યો. સમવસરણ આવ્યું અને જ્યાં ભગવાનને જોયા ત્યાં પૂર્વભવનું વૈર ઊછળ્યું અને ગૌતમ મહારાજાને કહ્યું કે ‘આ તમારા ગુરુ ?' ગૌતમ મહારાજાએ ‘હા’ કહી, એટલે ઓધો મૂકીને નાઠો. ગૌતમ મહારાજા વિચારે છે કે ‘ભગવાને મોકલ્યો ત્યાં આમ કેમ ?’ ભગવાનને પૂછે છે કે ‘ભગવન્ ! આમ કેમ ? હારી ગયો ?' ભગવાન કહે છે : ‘ગૌતમ ! એ પામી ગયો : એ પામે માટે મેં તને મોકલ્યો હતો.' જાણ્યા પછી અજીર્ણ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રભુની આજ્ઞા આગળ વિચાર જ નહિ. આજ્ઞાની યોગ્યતા કોને જોવાની હોય ? આજ્ઞા કરનારને કે આજ્ઞા ઉઠાવનારને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy