________________
૨૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ –
––
T
બેઉની પરીક્ષા કરવાનું નક્કી થયું.
ગુરુ : “તમારો પાટવી કુંવર અને મારો ક્ષુલ્લક એટલે નૂતન દીક્ષિત સાધુ, એ બેઉના વિનયની પરીક્ષા કરીએ.'
પ્રશ્ન પણ સાદો શોધી કાઢવામાં આવ્યો : ખુદ પરીક્ષા આપનારાઓ પોતે પણ જાણતા હોય તેવો કાઢ્યો. રાજાએ ચરપુરુષની પણ ગોઠવણી કરી, કે જે છૂપી તપાસ રાખે. સાદા પ્રશ્નનો હેતુ એટલો જ માત્ર હતો કે “અપાયેલી આજ્ઞાનો રીતસર અમલ થાય છે કે નહિ તેટલું જ જોવું છે.' એ ગામ ગંગાના કિનારે હતું. પાટવી કુંવરને બોલાવી રાજાએ હુકમ કર્યો કે “જાઓ, તપાસ કરો કે ગંગા કઈ દિશામાં વહે છે ?” રાજપુત્ર વિનીત હતો એટલે જવાનો નિષેધ તો ન કર્યો, પણ એના મનમાં વિચાર થયો કે “બાપુજીની બુદ્ધિ બગડી. ગંગાના કિનારે વસનારા બધા જાણે છે કે, ગંગા કઈ દિશામાં વહે છે, તો પછી આ પ્રશ્ન જ શો ?' આ રીતે વિચાર કરતો કરતો તે રાજકુમાર મહેલમાંથી બહાર નીકળી થોડે દૂર ગયો, ત્યાં એને એના મિત્રો મળ્યા. મિત્રોએ ખબર પૂછતાં પાટવીકુંવરે વાત કરી. મિત્રોએ જણાવ્યું કે “એમાં ત્યાં જવાની શી જરૂર ? અમુક દિશામાં વહે છે એ નક્કી છે, માટે જઈને કહી દો.' કુંવરે આવીને એ મુજબ કહ્યું, પણ પેલા ચરપુરુષોએ થોડીવાર પહેલાં જ આવીને ખબર આપી દીધી હતી કે “કુંવરે આવી રીતે તપાસ કરી છે.'
પછી નાના સાધુને બોલાવીને “ગંગા કઈ દિશામાં વહે છે' - એની તપાસ કરી આવવાનું ગુરુએ કહ્યું. એ સાધુએ વિચાર્યું કે “ગંગા કઈ દિશામાં વહે છે' એ તો બધા જાણે તેમ ગુરુ પણ જાણે જ : છતાં આજ્ઞા કરી માટે જરૂર કાંઈક હેતુ હશે !' એટલે તરત ‘તહત્તિ” કહીને ચાલ્યો. રસ્તામાં જેને-તેને પૂછે સામો મળે તેને પૂછે કે “ગંગા કઈ દિશામાં વહે છે?' પૂછી પૂછીને ખાતરી કરે : લોકો હસે : મશ્કરી કરે પણ તેની એને પરવા નહિ. “ગુરુની આજ્ઞામાં કાંઈક હેતુ છે.' - એ જ વિચાર : અનેકને પૂછતો પૂછતો ગંગાકિનારે આવ્યો : ત્યાં પણ ઊભેલાને એ જ પૂછવા લાગ્યો : બધા કહે કે “જોતા નથી ! જે દિશામાં વહે છે તે દેખાય છે.' તોય પૂછી ખાતરી કરે : આંખે જોઈને ખાતરી કરી એમાં તરતાં તરણાં જોઈને ખાતરી કરી અને જતાં જતાં પણ પુછાય તેટલાને પૂછીને ખાતરી કરી.
પેલા ચરપુરુષોએ અગાઉથી આવીને રાજાને બધી વાત કહી અને કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org