________________
અ
- ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62
– ૧૯૯
નહિ.' - આવી ભાવના મનમાં કરે, તે એની અતિપરિણતાવસ્થા કહેવાય છે ! શાસ્ત્રકાર કહે છે કે શિષ્યને દઢતા હોય તો તો વિચારે કે, ઝાડ સચિત્ત છે અને સંઘટ્ટો થશે એ બધું મારા કરતાં ગુરુ મહારાજ અધિક જાણે છે કે ઓછું? ગુરુ મહારાજ પોતે સંઘટ્ટો કરાવવા ઇચ્છે ખરા? નહિ. છતાં આજ્ઞા કરી માટે ગુરુએ કંઈ હિત ભાળ્યું હશે. આ રીતે એવો શિષ્ય તો સુગુરુની આજ્ઞા માથે ચડાવી નિર્વિચારપણે ચાલ્યો જાય,
સભા: ગુરુથી શિષ્ય ડાહ્યો હોય તો ?
અહીં જ ભાંગરો વટાય છે. ગુરુની વ્યાખ્યા તો આપણે કરી ગયા. પહેલાં ગુરુની પરખ કરો : પરખ કર્યા પછી બીજો વિચાર નહિ. ઝવેરી હીરો લેતાં પહેલાં બરાબર પરખ કરે, પરખ કરી લાખનું મૂલ્ય આપીને લે, પછી કોઈ કહે કે “આ તે લાખનો હોય ?' એટલે શું સાચો ઝવેરી મૂંઝાય ? જેને પોતાને પરખ છે તે બીજાનું માને ? દેવ, ગુરુ અને ધર્મની પરખ કર્યા પછી ડહાપણ ન ડોળાય. શિષ્યને એ ભાવના આવે કે “કહેનાર ગુરુ મહારાજ બધું જાણે છે : પ્રતિકાર પણ જાણે છે, હિતેષી છે, ઉપકારી છે, સકળ જંતુના પાલક છે, એમણે કરેલી આજ્ઞામાં જરૂર હેતુ હશે.” - તો શિષ્યની એ ક્રિયા નિર્દોષ થઈ જાય. માટે સમજો, વિનય તો જૈન સાધુનો જ હોય. આ વાત દૃષ્ટાંત દ્વારા સમજાશે. મુનિ ને રાજપુત્રમાં વધુ વિનયી કોણ?
એક વખત એક રાજા ગુરુ પાસે વંદન કરવા આવ્યા છે. વાત પર વાત નીકળતાં વિનય સંબંધી વાત ચાલે છે : ત્યારે રાજા કહે છે કે “જેણે વિનય શીખવો હોય તેણે રાજપુત્ર પાસે જવું જોઈએ, કેમ કે ભાવી ગાદીપતિ અતિ વિનીત હોય.”
ગુરુ : “રાજન ! જૈન સાધુ જેવો વિનય ક્યાંય ન હોય : રાજપુત્રને જેમ ગાદી માટે વિનય કરવો પડે છે, તેમ જૈન સાધુને મુક્તિપદ માટે વિનય કરવો પડે છે. ગાદી માટે જો એટલા વિનયની જરૂર હોય, તો મુક્તિપદ માટે તો એથી કેટલાય ગુણો વધુ વિનય જોઈએ ને !
રાજા : “હું ન માનું : મને રાજપુત્રનો અનુભવ છે.” ગુરુ : “મને પણ સાધુઓના વિનયન અનુભવ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org