________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
આપણો મુદ્દો એ છે કે અતિચાર તો લાગે જ. સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,-એ બધામાં અતિચાર તો લાગવાના, લાગવાના ને લાગવાના. તીવ્ર પરાક્રમી ને મહાન સંયમી પણ અતિચારની આલોચના કરે. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા : એમને પણ અતિચાર લાગતા અને અતિચાર લાગે ત્યારે પ્રતિક્રમણ નિયત હતું. આથી સમજી શકાય એમ છે કે ‘અતિચાર લાગે માટે ક્રિયા છોડાય નહિ.' ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવાની શક્તિ ન હોય તો બેઠાં બેઠાં પણ ક૨વું : જોકે એમ કરવું એ પણ અતિચાર છે, તે છતાં એમ પણ કરવું : પરંતુ ન કરવું એમ નહિ. બીમારીમાં, ભયંકર બીમારીમાં સૂતાં સૂતાં પણ ક૨વું, એ અતિચાર છે, તે છતાં પણ એમ પણ ન કરવું એમ નહિ. તદ્દન ન કરે તેના કરતાં એમ કરનાર સારો.
૧૯૮
શાસ્ત્રકાર કહે છે કે ‘ભાવના ન આવતી હોય તોય અભ્યાસ પાડવા માટે પણ કરો : પ્રેમ જગાડવા માટે પણ કરો !' કેટલાક કહે છે કે ‘હૃદયમાં ભાવના ન હોય, અને રૂઢ ક્રિયા માટે મંદિરમાં ગયા અને આવ્યા : ઉમળકો છે નહિ તો ફાયદો શો ?' શાસ્ત્રકાર કહે છે કે ‘જતાં જતાં, ક્રિયા કરતાં કરતાં ભાવના જાગશે, માટે ભાવના લાવવા માટે પણ ક્રિયા કરવી.
અતિ-પરિણત-દોષ એટલે ?
938
સભા : અતિપરિણત દોષ કોને કહેવાય ?
શાસ્ત્રકારે જે ક્રિયાની આજ્ઞા કરી તેમાં મનઃકલ્પિત દોષનું આરોપણ કરી વિચારવું તે અતિ પરિણત દોષ. જ્ઞાનીએ અમુક ક્રિયા મુનિ કે શ્રાવક માટે કરવાની કહી, એ ક્રિયા કરતી વખતે સ્વમતિકલ્પનાથી દોષની સંભાવના કરવી, તેનું નામ અતિપરિણત દોષ. એનાથી ક્રિયા કરવાં છતાં દોષ લાગે.
શિષ્ય ગુરુની આજ્ઞામાં રહેવું એ ધર્મ. ગુરુ કોણ ? - એ ઘણી વખત કહેવાયું છે. સામાન્ય વ્યાખ્યા એ કે ‘પ્રભુની આજ્ઞા મુજબ ચાલનારા : ગુરુ તે કે જે પાંચે મહાવ્રતોને ધારણ કરે, તે પાંચેને પાળવામાં ધીર બને, નિર્દોષ ભિક્ષા માગીને જ નિર્વાહ કરે, સદા સામાયિકમાં જ રહે અને ધર્મનો જ ઉપદેશ કરે.'
કારણ પામીને ગુરુએ શિષ્યને આજ્ઞા કરી કે ‘ઝાડ પર ચડી જા.’ શિષ્ય ના તો ન પાડી શકે અને ચડે પણ, પરંતુ ચડતાં ચડતાં વિચાર કરે કે ‘ગુરુએ આવી આશા કેમ કરી ? ઝાડ તો સચિત્ત છે, સંઘટ્ટો થાય, માટે આ આજ્ઞા બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org