________________
psi – ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૯૭ ઉપયોગમાં લીધી નથી માટે અતિચાર લાગે, પણ એના સક્તવને બાધ ન લાગે. ઘણા જીવો એવા છે કે “શક્તિ છે પણ આસક્તિમાં એવા લીન કે શક્તિનો ઉપયોગ મોક્ષમાર્ગની આરાધનામાં નથી કરી શકતા.
શ્રી કૃષ્ણ મહારાજનું દૃષ્ટાંત વિચારો.એમના વખતમાં શ્રી તીર્થંકરદેવ વિના એમના જેવું બળવાન કોઈ નહોતું. સૌથી અધિક બળવાન એ હતા; છતાં નાનાં બાળક સંયમ લેતાં અને પાળતાં પણ કૃષ્ણજીથી સંયમ નહોતું લેવાતું તો શું તેમનામાં બળ નહોતું? હતું જ, કારણ કે તેમણે કેટલાય રણસંગ્રામો ખેલ્યા હતા. લાખો દુશ્મનોને પગની ઠોકરે ધ્રુજાવતા. આથી બળ નહોતું એમ નહિ, પણ આસક્તિનો અભાવ નહોતો. વિષય પ્રત્યેની લીનતા એનું નામ આસક્તિ. સભા : એમાં કર્મ ઉદય કારણ ખરુંને !
એમને કર્મ ઉદય હતો પણ ઉદય કહી બચાવ કરવાનો તમને અધિકાર નથી : આસક્તિ તોડવાનો પ્રયત્ન કર્યા પછી ન તૂટે તો ઉદય કહેવાનો અધિકાર છે. “અમુકને ઉદય એ કારણ છે એમ જ્ઞાની કહી શકે. તમે શી રીતે કહો ? પ્રયત્ન કર્યા છતાં ઉલ્લાસ ન આવે તો કહી શકાય કે ઉદય તીવ્ર. ઓટલે બેસી કહે કે “પાપનો ઉદય માટે પૂજા કરવા નથી જવાતું' અને ચાર કલાક ગપ્પાં મારે, એને ઉદય કહેવાનો અધિકાર છે ? હા, ઊઠે, પૂજા કરવા જાય ને મંદિરમાં પેસતાં ચક્કર આવે, તો કહેવાય કે અંતરાયનો ઉદય ! કૃપણ એ કહે કે “દાન તો કેવું છે પણ કોઈ આવતું નથી, દઉં કોને ?” - તો કહેવું પડે કે ‘પાત્ર શોધીને દાન દે : પાત્રની તપાસ કરતાં ન મળે તો કર્મોદય માન !” “જીરણ શેઠને અંતરાયનો ઉદય હતો” – એમ કહેવું એ વાજબી, કેમ કે પ્રયત્ન પૂરો હતો. મુનિની ચિંતા નહિ અને કહેવું કે “અંતરાયનો ઉદય કે વહોરવા નથી આવતા' - એ કેમ ચાલે ? ભાવ હોય તો વિનંતિ કરે - લઈ જવાના પ્રયત્નો કરે, તેવી જ રીતે આસક્તિ પણ છે તો કર્મના ઉદયથી, પણ ઉદય કહેવામાં તમારો બચાવ નથી ! “રાત્રે ખાવું કેમ છોડતા નથી ?' ત્યાં પાપનો ઉદય કહો એ બચાવ, પણ “ટેસ્ટ નથી છૂટતો' – એમ કહો તો ? આસક્તિ બતાવવામાં પોલાણ બતાવવી પડે છે. સામો સમજી જાય કે “આ તો પોલો છે' અને એ સહન થાય તેમ નથી! ‘પાપનો ઉદય' - એમ તો સૌ કહે ! ઉદય વિના આસક્તિ પણ નથી પણ આસક્તિ તોડવા પ્રયત્ન કર્યા બાદ ન તૂટે તો ઉદય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org