SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ – - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - તમને-અમને લાગે એમાં નવાઈ શી ? અતિચાર લાગે એ ક્રિયા અવિધિવાળીને ? આત્મા જ્યાં સુધી અપ્રમત્ત ન બને, ત્યાં સુધી નાનો કે મોટો અતિચાર લાગ્યા વિના રહે નહિ માટે વ્રત જ નહિ એમ ? અવિધિ તો કાયમ રહે છે : પરિપૂર્ણ વિધિ આવે એટલે તો અમૃતક્રિયા થાય : એ ક્રિયા થાય એટલે કામ થઈ જાય : તહેતુ વિના અમૃતક્રિયા ન આવે અને ત્યાં સુધી કર્મમળ ન જાય અને કર્મમળ ન જાય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય : મુક્તિ ન પમાય. તમારે અને અમારે તહેતુ ક્રિયા કરવાની. મોક્ષની હેતુભૂત બધી ક્રિયા મોક્ષનું જ ધ્યેય ધ્યાનમાં રાખીને કરવાની. મોક્ષમાર્ગમાં જેટલી ક્રિયા સાધક તેટલીનું જ આ શાસ્ત્રમાં વિધાન અને જેટલી ક્રિયા બાધક તેટલીનો નિષેધ. આખી દ્વાદશાંગમાં વિધાન મોક્ષની સાધક ક્રિયાનું છે અને બાધક ક્રિયાનો નિષેધ છે. ભૂમિકા મુજબ વિધાન અને નિષેધના ઉપયોગનું પ્રમાણ ઓછું વધતું ખરું યોગ્યતા મુજબ પાત્રભેદ વિધિનિષેધમાં ભેદ ખરો : સામાન્યતયા મોક્ષમાર્ગની સાધક ક્રિયાનું વિધાન અને બાધક બધી ક્રિયાનો નિષેધ !મોક્ષસાધક ક્રિયામાં અતિચાર લાગે તો અતિચારનો નિષેધ હોય પણ ક્રિયાનો નહિઃ ક્રિયા કરવાની જ બને તેટલી નિરતિચાર? પરંતુ અતિચાર ખાતર ક્રિયા ન જ છોડાય. જો એમ ક્રિયા છોડવાનું જ્ઞાની ફરમાવે તો વ્યવહાર અને નિશ્ચય નયમાં ભેદ ન રહે તે માટે અવિધિના દોષથી ડરી જઈને કે ડરાવીને કોઈ વિહિત ક્રિયાથી ચુકાવે તો ચેતજો. ભાવના લાવવા માટે ક્રિયા જરૂરી છે? નિશ્ચય નય તો કહે છે કે “જાણકાર છે કે જે અમલ કરે : જે અમલ ના કરે તેનામાં જાણપણું નથી.” નિશ્ચય નયના હિસાબે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણઠાણાની કિંમત નથી. એનું શાસન સાતમે ગુણઠાણેથી. અને વ્યવહાર નય કહે છે કે “કદાચ પાપક્રિયા કરવી પડે, પણ પાપને પાપરૂપ માને તો તેનું જ્ઞાન સાચું છે. જાણ્યા બાદ બધુ સારું અને સાચું જ લે અને બધું ખોટું છોડે જ એ બનતું નથી, કેમ કે તેમ કરવામાં કૌવત જોઈએ છે. સમ્યગ્દષ્ટિ આત્મા મોટે ભાગે શક્તિને ગોપવે નહિ : ગોપવે તો પણ એને અતિચાર લાગે. વિર્યાચારના અતિચારમાં આવે છે ને કે “છતુ બળ વીર્ય ગોપવ્યું. માન્યતા અવળી થાય તો સમ્યક્ત જાય. હેયને હેય માને, કરણીયને કરણીય માને, ઉપાદેયને ઉપાદેય માને તો સમજ્ય નિયત છે. હેયને તજવાની તથા કરણીયને કરવાની શક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy