SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ess – ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 – ૧૯૫ જૂનાઓ પત્તર ખાંડે, એ કેમ જ યોગ્ય ગણાય ? ‘હજી બેસતાંય નથી આવડતું, હજી કટાસણું પાથરતાંય નથી આવડતું' - એમ કર્યા કરે : પણ – ભલા આદમી ! તને પણ પહેલાં ક્યારે આવડતું હતું ? એને આવડતું હોત તો આગળ ન બેસત ? એ તને પૂછત પણ શું કરવા ?' આ જાતના વિચાર કરવાને બદલે, ઊલટા જૂના સામાયિક કરનારાઓ એની મશ્કરી કરે તો પેલો ફરીને આવે ? હીનગુણી પર અનુકંપા ન આવે ત્યાં સુધી ધર્મના અંકુરો ફૂટતા નથી. બહુગુણીને હનગુણી પર દયા જ હોય. એનાથી એનું અપમાન ન જ થાય. એ નવા સામાયિક કરનારને એમ કહે કે “આવ ભાઈ બસ, મને પણ પહેલાં નહોતું આવડતું, પણ હવે આવડે છે : તને પણ ધીમે ધીમે આવડી જશે : ગભરાવું નહિ, શરમાવું નહિ.' આથી પેલાનો ઉમંગ વધે અને કહે કે “રોજ આવીશ.' રોજ આવે પણ ખરો : પણ મશ્કરી કરે તો ફરી આવે જ નહિ ને ? મશ્કરી કરનારા જાણકાર પણ વિરાધક કહેવાય. નવા આવેલા ન જાણે માટે મશ્કરી ન હોય. નવા આવ્યા એટલે એ તો નક્કી છે કે નથી આવડતું : આવડતું હોત તો પૂછત પણ શું કામ અને પાછળ બેસત પણ શું કામ ? પરંતુ શ્રી જિનેશ્વરદેવના શાસનના રહસ્યની જેને ખબર નથી, એવા શુષ્ક જ્ઞાનીના હૃદયમાં આ વાતો બેસતી નથી, જચતી નથી. શ્રી ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે “અવિધિના નામે ક્રિયાનો નાશ કરનારા - ક્રિયાના નાશનો પ્રયત્ન કરનારા, ક્રિયાના ઉચ્છેદક છે અને એથી શાસનના પણ ઉચ્છેદક છે. કારણ કે અવિધિ એ સંભવિત દોષ છે. શાસ્ત્રકાર જ્ઞાનીએ કહ્યું કે “વ્રત નિરતિચાર પાળવાં.' નિરતિચાર પાળવા એમ લખ્યું, છતાં અતિચાર અને એની આલોચના તથા પશ્ચાત્તાપ એ વગેરે વગેરે શું કામ લખ્યું ? એ વાત ખરી કે મુક્તિ તો ત્યારે જ મળે કે જ્યારે વ્રત નિરતિચાર પળાય, પણ વ્રત લે ત્યારથી અતિચાર ન આવે એ બને જ નહિ : અતિચાર આવે જ : માટે તો વ્રત લેતાં પહેલાં અતિચારની વિધિ સમજાવવી પડે : અતિચારનાં પ્રાયશ્ચિત્ત લેવાં પડે એમ પણ સમજાવવું પડે. જો આમ ન થાય તો એ આત્મા નિર્દોષ બને પણ નહિ ! ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં ચાર પ્રકારના સંઘને ઉભય ટંક આવશ્યક (પડિક્કમણું) નિયત. શ્રી ગણધરદેવ પણ પ્રતિક્રમણ કરે. અતિચારની આલોચના માટે પ્રતિક્રમણ છે. શ્રી ગણધર ભગવાનને પણ અતિચાર લાગે, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy