________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો *
સન્માન કરે એ ક્રિયા કેટલી ઊંચી, એમ એને પણ એ ક્રિયા માટે બહુમાન થાય અને એથી ક્રિયામાં એ બહુ સ્થિર થાય. આરાધક જ્ઞાનીનો આ નમૂનો. એ જ્ઞાની હાથ જોડીને ક્રિયા કરનારને વિનવે કે “તમે એવા પુણ્યવાન છો કે સાધવાનું સાધી રહ્યા છો : હું જાણું છું પણ પામર એવો છું કે કરી શકતો નથી : તમે ધન્ય છો કે કરી રહ્યા છો : પુણ્ય જાગે અને મારામાં પણ શક્તિ આવે એ ઇચ્છું છું પણ તમારી ક્રિયામાં જો આટલો વિવેક ભળે તો ધાર્યું કામ થાય : અમે રહી જઈએ અને તમે પહોંચી જાઓ.” આ રીતે સંભળાવે તો પેલા પ્રેમથી અને બહુમાનથી સાંભળે. એમને પણ એમ થાય કે ‘જ્ઞાની હો તો આવા હોજો કે જેના યોગે નિસ્તાર થાય.'
૧૯૪
જૈનશાસનમાં જ્ઞાનીનું સ્થાન આ છે. ક્રિયા કરનારને નમે, હાથ જોડે, એની પ્રશંસા કરે અને એને માર્ગસ્થ કરે. જ્ઞાની તે નહિ કે જે પોતાનું ડહાપણ ડહોળી, અન્ય આત્માને પતિત કરવાના પ્રયત્નો કરે : એટલું જ નહિ પણ પતિત કરે !
934
જ્ઞાન, જ્ઞાન તરીકે આજ પરિણમતું નથી, જ્ઞાનીએ કહેલી વાત ઉપરથી હૃદયવૃત્તિ ક્ષણે ક્ષણે પલટાતી જાય છે, એના પર ક્રોધ, માન, મત્સર, ઇર્ષ્યાદિ વધતાં જ જાય છે, એનું કારણ ? અક્ષરજ્ઞાન થાય છે પણ જ્ઞાન પરિણમતું નથી એનો હેતુ શો ? સમજદારનું કામ એ નથી કે અજ્ઞાનીનાં છિદ્ર શોધી એને હેરાન કરવા : એથી તો પરિણામે એ વધુ અજ્ઞાન બને. એ છિદ્રો કેમ પુરાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
જૈનશાસનના જ્ઞાની તો કલ્પવૃક્ષ જેવા : એ કંટક વૃક્ષનું કામ ન કરે. એ કલ્પવૃક્ષની છાયાથી તો શાંતિ જ હોય, પણ અનુભવ કરે તેને શાંતિ હોય. એ કલ્પવૃક્ષની સુગંધી ત કોને બનાવે ? નાકમાંથી કચરો કાઢે તેને, પણ નાકમાં વિષ્ટાની ગોળી રાખી મૂકે તેને નહિ.
જૈનશાસનના જ્ઞાનીમાં તો જેમ જેમ જ્ઞાન વધે, સ્વ-પર વિવેક વધે, તેમ તેમ આત્માની હાલત ઊંચી થાય. અમુક ક્રિયા પોતાથી ન બને એ સંભવિત, પણ ક્રિયાના કરનારા પ્રત્યે સન્માનની ભાવના એને જીવતી-જાગતી રહે.
કોઈ મોક્ષગામી આત્મા એવો નથી થયો કે શરૂઆતથી જ એની ક્રિયામાં અવિધિ ન હોય ! પહેલેથી જ એકડો સીધો ન ઘૂંટાય : વાંકોચૂંકો ઘૂંટતાં ઘૂંટતાં દિવસો જાય ત્યારે એકડો સીધો નીકળે. હવે વિચારો કે કોઈની અવિધિ દેખીને ગુસ્સો કરાય ? નહિ જ, તો પછી નવો સામાયિક કરવા આવે એની આજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org