________________
૧૯૨ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ –
–
932
બચાવ ન થાય. કોઈ પડે ત્યાં એમ થાય કે “કર્મની ગતિ વિચિત્ર છે : મોહનું જોર જબરું છે : સંભવિત છે કે એમ પણ બને.” પણ એ પર માટે : પોતે જાતે ગબડીએ ત્યાં તો કહેવાનું કે “આ કર્યું શું ?' ખૂબ પશ્ચાત્તાપ કરવાનો : હિતશિક્ષાની ઝડીઓ વરસાવવાની : પર માટેની દયા કે વિચાર પોતા માટે થાય તો ચડાય જ નહિ. અવિધિ દોષથી ક્રિયા છોડાય ? જ્ઞાનવાન ક્રિયાહીન અને ક્રિયાવાન જ્ઞાનહીન ક્યારે આરાધક ?
આપણો મુદ્દો એ છે કે શ્રી તીર્થંકરદેવની હાજરીમાં પણ જો આ સ્થિતિ હોય, તો ગેરહાજરીમાં શું ન થાય ?
એ કથન દ્વારા સૂત્રકાર મહર્ષિ એમ સૂચવે છે કે એક તો ધર્મ પામવો કઠિન છે, પામ્યા પછી સાચવવો કઠિન છે, અને પછી સ્થિરતાથી આરાધવો કઠિન છે. ધર્મ મેળવવામાં, સાચવવામાં અને સ્થિરતાથી આરાધવામાં કઠિનતા છે. અધર્મથી ભરેલી દુનિયામાં, ધર્મીએ ધર્મની આરાધના કરવી તે નાનીસૂની વાત નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એટલે મન-વચન-કાયાના અશુભ વ્યાપારથી ભરેલી દુનિયામાં રહેવું અને એમાંથી સમ્યક્ત્વ, વિરતિ, કષાયત્યાગ, અને મન-વચન-કાયાના અશુભ વ્યાપારનો ત્યાગ મેળવી, ત્રણે યોગોને શુભમાં યોજી, મિથ્યાત્વાદિથી આત્માને બચાવી મુક્તિએ જવું સહેલું છે ? નહિ જ, એમાં ઘણી મુશ્કેલી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને અશુભ યોગના સામ્રાજ્યમાંથી આત્માના એ ગુણો (સમ્યકત્વ. વિરતિ આદિ) મેળવવા અને સાચવવા એ બહુ કઠિન છે. મેળવે તે ભાગ્યવાન : મેળવીને સાચવે તે એથીએ ભાગ્યવાન : અને એ ગુણોની આરાધના દ્વારા સંસારસાગરથી નિસ્તાર પામે તે પૂરો ભાગ્યવાન.
જ્ઞાનીએ કહ્યું કે મહામુશીબતે સારી ચીજ આત્મા પાસે આવી હોય અને તે સેવતાં તેનાથી સહેજ અવિધિ થતી હોય, તો તે ચીજને અવગણાય નહિ : કારણ કે શરૂઆતની ક્રિયા, અભ્યાસકાળની ક્રિયા જેવી રીતે જોઈએ તેવી રીતે સામાન્યતઃ આરાધી શકાતી નથી, અને જો એની અવગણના કરાય, ઉપેક્ષા કરાય, તો એ આવેલી ખસી જાય : એ ટકી ન શકે. અવિધિ દોષને લઈને આરાધવાની ભાવનાવાળાને ગભરાવવો નહિ. પહેલાં આપણે જોઈ ગયા છીએ કે -
"जानन्ति केचिन्नतु कर्तुमीशा:, । कर्तुं क्षमा ये न च ते विदन्ति ।। जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति ।।१।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org