________________
1 - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૯૧ કાર્યવાહી કરાવી. “સમ્યગ્દષ્ટિને આવો વિચાર આવે ?” –આવો પ્રશ્ન જરૂર થાય, પણ એનો ઉત્તર એ છે કે “મોહના તીવ્ર ઉદયે આવે. પરંતુ એક વાત બરાબર યાદ રાખવાની કે એ આત્માને મોક્ષ કે સંયમ પ્રત્યે અરુચિ નહોતી : માત્ર મોહવશ રામચંદ્રજીને પકડી રાખવાની ભાવના છતાં યોગ્યતા જણાયા વગર ન રહી. એકવાર મોહે વિશુદ્ધ વિચારશક્તિને હણી નાખી, પણ સ્થિતિ ફરી કે મહોત્સવ ને ક્ષમા પણ માગી ત્યાં સમ્યગ્દર્શનના યોગે મોહની સ્થિતિનું તરત ભાન થયું !
મુદ્દો એ છે કે મોહ ભલભલાને મૂંઝવે છે. “અમુક આમ કેમ ? “અમુક પડ્યો કેમ ? અમુક ઢળ્યો કેમ ?' - એ જોવાય નહિ : અર્થાત્ એવા પતન તરફ દૃષ્ટિ કરીને પોતે શિથિલ થવું કિવા જે ચડવા તૈયાર થયા હોય તેમનો ઉત્સાહભંગ કરવો એ યોગ્ય નથી. અશુભનો ઉદય તથા મોહની ઉગ્રતા એવી છે કે એ ક્યારે ગબડાવે તે કહેવાય નહિ. ગબડતાં ગબડતાં પણ સ્થાને રહેવાય તો ચડાય. “પડ્યો' તેની ચિંતા ન કરવી, પણ “ટકે કેમ એ ચિતા કરવી. શ્રી ટીકાકાર મહર્ષિ એટલા માટે કહે છે કે સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ વિદ્યમાન છતાં, પ્રબળ મહોદયથી વીંટાયેલા આત્માઓ સિદાયા કરે છે, સંયમ લઈ શકતા નથી, અગર સંયમમાં પણ સિદાયા કરે છે. એ જોઈ એ જ વિચારવાનું કે મોહનું જોર અજબ-ગજબ છે. આથી પોતાની જાતનો બચાવ ન કરતા અને એવા બચાવથી ઢીલા ન થતા : અપવાદનો જ્ઞાતા કોઈને પડતો ભાળી, ત્યાં અપવાદ લગાડી એનો “બચાવ' કરે, પણ જો એ પોતે અપવાદમાં પડે તો એ અજ્ઞાની ! કાયદાનો જાણ, કાયદાથી અજાણ આદમી કાયદાની ચુંગાલમાં ફસાયો હોય તો તેને બચાવે, પણ પોતે કાયદાની ચુંગાલમાં આવે તો એનો ગુનો વધુ ગણાય : એને શિક્ષા મોટી : કાયદાનો અજાણ કહી દે કે “આ કામમાં ગુનો છે એવી મને ખબર નહોતી અને જો એનો એકરાર કોર્ટને બરાબર યોગ્ય લાગે તો કોર્ટ પણ એને કંઈક લાભ આપે : પણ ધારાશાસ્ત્રી એમ કહે તો કોર્ટ ન માને : એને જુઠ્ઠો અને પ્રપંચી માને : કેમ કે એ જાણે છે. અપવાદનો જ્ઞાતા પોતાની જાત માટે અપવાદની થિયરી ઊભી કરે તે કેમ ચાલે ? જ્ઞાની ધારે તો બારી બધી કાઢી શકે, પણ એ રીતે વર્તવા માંડે તો કલ્યાણ કેમ થાય ? મોહના ઉદયના નામે જાતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org