SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૪ -- 90 જ મળે : શરીર-કુટુંબ-પરિવાર-સાહ્યબી-ધન વગેરે બધું મળે તે ધર્મથી જ મળે : ધર્મના વર્ણનમાં કહેનાર આ બધું જ કહે છે. આથી ધર્મ, ધર્મનું રહસ્ય કે ધર્મનું સાધ્ય સમજ્યા વિના જ, કેટલાક આ દુનિયાદારીની સુખસાહ્યબી માટે પણ ધર્મની રુચિવાળા થાય. આપણો મુદ્દો એ છે કે માત્ર મુક્તિના ધ્યેયથી ધર્મ તરફ રુચિ થવી કઠિન છે અને જ્યાં સુધી એવી રુચિ ન થાય, ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવોએ કહેલો ધર્મ ફળે પણ નહિ. મોહનું આવરણ એવું જબરું છે, એટલા બધા પ્રમાણમાં બળવાળું છે, એવું તેજ છે કે આત્મા ધર્મ તરફ વળે નહિ અને કદાચ વળે તો પેલી દુનિયાદારીની સુખ સાહ્યબીથી લેપાય, પરિણામે એમાં ને એમાં રૂલે. દુનિયાદારીની ચીજોને ઇચ્છતો ઇચ્છતો એવો તીવ્ર પરિણામી થાય કે પરિણામે એ દુર્લભબોધિ પણ થાય. ખરેખર, મોહની સત્તા જબરી છે. મોહની પ્રબળતા અંગે શ્રી સીતાજીનું દૃષ્ટાંત યાદ રાખવા જેવું છે. સીતાજી સંયમ લઈ સંયમનું બરાબર પરિપાલન કરતાં કાળધર્મ પામીને બારમા દેવલોકમાં ઇંદ્ર થયાં છે. કાળક્રમે શ્રી રામચંદ્રજી પણ સંયમ લે છે. સંયમમાં રત એવા તે મહર્ષિ ધ્યાનારૂઢ થયા છે : ક્ષપકશ્રેણી પર ચડ્યા છે કેવળજ્ઞાનની તૈયારી છે : તે વખતે સીતાજીનો આત્મા જે ઇંદ્ર થયો છે, તેમને એમ થાય છે કે “જો શ્રી રામચંદ્રજી કેવળજ્ઞાન પામશે તો મુક્તિએ જશે અને એમ થશે તો અમારો સંબંધ નહિ થાય : માટે જો ક્ષપકશ્રેણિથી ચળે તો સંસારમાં રહી જાય : અને તો અમારો સંબંધ થાય : માટે ક્ષપકશ્રેણિમાં રહેલા એમને અનુકૂળ ઉપસર્ગથી ઉપદ્રવ કરું, કે જેથી તે મારા મિત્ર દેવ થાય.' - આ પ્રમાણે વિચારી એમણે શ્રી રામચંદ્ર ઋષિને ધ્યાનથી ચલાયમાન કરવા અનુકૂળ ઉપસર્ગો કર્યા. સમ્યગ્દષ્ટિ છે, ઇંદ્ર પણ છે, છતાં પણ એમની પાસે આવી પ્રવૃત્તિ કરાવનાર મોહની સત્તા કેવી અજબ છે એ વિચારો. અનુકૂલ ઉપસર્ગ એવા કે ભલભલા પણ ચલાયમાન થાય, પણ જેમ એ ઇંદ્ર બળવાન હતા તેમ અહીં શ્રી રામ પણ બળવાન હતા : ધ્યાનમાં અડગ રહ્યા અને કેવળજ્ઞાન પામ્યા. પછી તો એ જ ઇંદ્ર મહોત્સવ કર્યો અને આશાતના કર્યા બદલ માફી માગી પણ એકવાર તો મોહે બધી કાર્યવાહી કરાવી. એ કાર્યવાહીમાં રામ દુઃખી થાય એવી એમની ભાવના નહોતી, પણ એ મોક્ષે જાય તો ફરી સંબંધ ન થાય એ જ ભાવના હતી : સંયમ પ્રત્યે દ્વેષ નહોતો : મુક્તિ જવાની તો પોતાને પણ ભાવના છે. પણ સાથે જવાય તો ઠીક, એ જ એક મોહના ઘરની ભાવનાએ આવી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy