________________
20
- ૧૨ ઃ ભગવાનની દેશના પણ કોને તારે ! - 62
- ૧૮૯
ભારેકર્મોની દશા :
“જ્યારે લઘુકમ આત્માઓની આ દશા હોય છે, ત્યારે ભારેકર્મી આત્માઓની દશા કેવી હોય છે ? એ બતાવતાં સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામી મહારાજા ફરમાવે છે કે
પસંદ અને મવસીયના મUપ” એ સૂત્રાવયવને સમજાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા લખે છે કે
"साक्षात्तीर्थकरे सकलसंशयच्छेत्तरि धर्ममावेदयति सत्येकान् प्रबलमोहोदयावृत्तान् संयमेऽवसीदतः पश्यत यूयं, कथम्भूतानित्याह-नात्मने हिता-प्रज्ञा येषां ते अनात्मप्रज्ञास्तानिति"
“હે ભવ્ય જીવો! તમે સકલ સંશયોને છેદનારા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ ધર્મના સમાવનાર હોવા છતાં, પ્રબલ મોહોદયથી ઘેરાયેલા, આત્માને હિતકારી પ્રજ્ઞા-બુદ્ધિથી રહિત અને સંયમથી સિદાતા આત્માઓને જુઓ.” આથી સ્પષ્ટ જ છે કે કેટલાક લઘુકમ આત્માઓ જ પ્રભુ કહે તેવી આચરણા આચરવા, એટલે કે ધર્મની સાધના માટે પ્રયત્નશીલ થાય : કર્મરૂપી શત્રુની સામે રણસંગ્રામમાં ઊતરે : અને કર્મશત્રુઓને દૂર કરવાના પણ પ્રયત્ન કરે ! પણ જેઓ ભારેકર્મી છે, તેઓ તો સકલ સંશયને છેદનારા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવની દેશના સાંભળે, તે છતાંયે સંયમને સાધી શકતા નથી. તે બિચારાઓ તો પ્રમાદી બની, મોહને આધીન બની, સંયમ લઈ શકતા જ નથી કારણ કે એમના હૈયામાં દેશના રીતસર પ્રવેશ ન પામે. એવાને માટે શ્રી તીર્થંકરદેવની દેશના પણ કામ ન કરે.
હવે વિચારો કે શ્રી તીર્થંકરદેવની દેશના તારે કોને ? કહેવું જ પડશે કે તરવા યોગ્ય હોય તેને ! ડૂબવાની જ ઇચ્છાવાળા, સ્વયં ડૂબવાની જ પ્રવૃત્તિ કરી રહેલાને તે તારકની દેશના પણ શી રીતે તારે ? આત્માના લઘુકમપણાનું એ ચિહ્ન છે કે સાચી વસ્તુ સંભળાય તો તરત હૃદયમાં ખટકો થાય. એનાથી કદાચ આચરણ ન થાય, પણ “આ થાય તો ઠીક' - એમ તો એને જરૂર જ થાય. ભારે કર્મી આત્માને પહેલાં તો ધર્મ રુચતો નથી અને કદી રુચે તો બીજી વાસનાના યોગે રુચે છે. ધર્મ એવો છે કે મુક્તિ પણ આપે અને બીજું પણ આપે એનું વર્ણન હોય ત્યાં વાત બધી આવે : બધી સારી ચીજો ધર્મના યોગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org