SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 928 શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશક પરમષિઓ ધર્મનું કથન કોની કોની સમક્ષ કરે ?' - આ પ્રશ્નનું સમાધાન કર્યા પછી, સૂત્રકાર મહારાજા એ બતાવવા માગે છે કે “શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ કયા આત્માઓ ધર્મની આચરણા માટે ઉદ્યમશીલ થાય છે અને બીજાઓનું શું થાય છે ?' શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મની પ્રાપ્તિ ને આચરણા કરી કોણ શકે છે? હવે સૂત્રકાર મહારાજા એમ ફરમાવવા ઇચ્છે છે કે “સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેવા પણ, ધર્મનું નિરૂપણ કરનારા હોવા છતાં પણ તે તારકના કથન પ્રમાણે તો કોઈ લઘુકર્મ આત્માઓ જ અંગીકાર કરે છે અને અંગીકાર કરીને ધર્મની આચરણા માટે ઉદ્યમશીલ બને છે. આ વસ્તુને સમજાવતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે પર્વ ને મહાવીરા વિવિનંતિ" આ સૂત્રાવયવનો ભાવ સ્પષ્ટ કરતાં, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે "एवं च तीर्थकृताऽऽवेदिते सत्येके-लब्धकर्मविवरा विविधं संयमसङ्ग्रामशिरसि पराक्रमन्ते, परान् वा इन्द्रियकर्मरिपून् आक्रमन्ते पराक्रमन्त इति ।" શ્રી તીર્થંકરદેવ જેવા પણ ધર્મના જણાવનાર હોવા છતાં, જે આત્માઓને કર્મના વિવરની પ્રાપ્તિ થઈ હોય છે, એટલે કે જે આત્માઓ કર્મથી લઘુ બન્યા હોય છે, તે જ આત્માઓ સંયમસંગ્રામના શિર ઉપર આરૂઢ થઈ, પોતાની સઘળી શક્તિઓ એ સંગ્રામમાં વિજય પામવામાં ખર્ચે છે અથવા આત્માથી પર છે ઇન્દ્રિયો અને કર્મરૂપ શત્રુઓ છે તેઓ ઉપર આક્રમણ કરે છે, એટલે કે એ શત્રુઓને મારી હઠાવવાના પ્રયત્નો કરે છે.” આથી સ્પષ્ટ જ છે કે આત્મા જ્યાં સુધી કર્મલઘુ ન બને, ત્યાં સુધી પરમતારક એવા તીર્થપતિની દેશનાનો પણ લાભ નથી લઈ શકતો. લઘુકમી આત્માઓને જ તારક તીર્થપતિઓના ઉપદેશ રુચે છે : તેવા જ આત્માઓ તે ધર્મનો સ્વીકાર કરે છે ? અને તેવા જ આત્માઓ સ્વીકારેલા ધર્મને આચરવા માટે અવિરત ઉદ્યમ કરે છે તેમજ એ દ્વારા આત્માને પાયમાલ કરી નાખનાર કર્મશત્રુઓનો તથા તે શત્રુઓને પુષ્ટ કરનારા ઇંદ્રિયો અને કષાયરૂપ શત્રુઓનો સંહાર કરવા માટે, પોતાના સઘળા બળને વાપરવાના દઢ નિશ્ચયવાળા બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy