SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ – ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! ... 62 - - ૧૮૭ ધરનારા તેઓઅલ્પબુદ્ધિવાળા આત્માઓની એટલે ભોળાઓની પુણ્યલક્ષ્મીને ચોરી લે છે. આમાં અમે પોકારશું કરીએ ? કારણ કે રાજા વિનાના રાજ્યમાં શ કોટવાળો ચોરોનથી થતા ?અર્થાત થાય છે જ તેવી જ રીતે હે નાથ!તારા શાસનમાં પણ તેં જેઓને ભક્તિમાર્ગના વાહકપણે સ્થાપ્યા હતા, તેઓ જ અત્યારે તારા અભાવે તારા શાસનને લૂંટનારા થયા છે અને તે જ પવિત્ર થતિનામનેધરીને તેઓતારા શાસનમાં રહેલા ભોળા આત્માઓની પુણ્યલક્ષ્મીને લૂંટી રહ્યા છે, ત્યાં અમારાથી પોકાર પણ શું થાય?” આ એક પરમર્ષિના ગંભીર પોકારની ગંભીરતાને સમજીને, પ્રભુશાસનના રસિયાએ પોતાની જાતને પ્રભુશાસનમાં સ્થિર બનાવવી જોઈએ અને તેવી ઇચ્છા ન જ હોય તો પોતાની જાતને પ્રભુશાસનથી અલગ કરી દેવી જોઈએ, પણ કોટવાળના વેષમાં રહીને કે તેનું નામ ધરાવીને લૂંટારાનું કામ કરવા જેવી નીચામાં નીચી હદે પોતાની જાતને ન જ મૂકી દેવી જોઈએ : અન્યથા તેનું પરિણામ આ લોકમાં પણ ભયંકર જ આવે છે. કદાચ પૂર્વના પુણ્યના પ્રતાપે આ લોકમાં ભયંકર પરિણામ નહિ આવે, તો પરલોક તો જરૂર ભયંકર છે જ. જો આ ભયંકર પરિણામથી બચવું જ હોય, તો પરમ ઉપકારીઓના જીવનનો, તે ઉપકારીઓની સર્વના જ આત્મકલ્યાણને કરવા ચાહતી મનોદશાનો અને તે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓનો અભ્યાસ કાળજીપૂર્વક શુદ્ધ દૃષ્ટિથી કરવો જોઈએ : તે સિવાય શ્રી જિનેશ્વરદેવનો, શ્રી જિનેશ્વરદેવના શાસનનો કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલા પુણ્યાત્માઓનો આછો આછો પણ ખ્યાલ થતો નથી અને તે ખ્યાલ નહિ થાય ત્યાં સુધી આત્મા કે આત્માની શુદ્ધ દશા તરફ કદી જ ધ્યાન ખેંચાતું નથી. એ તરફ ધ્યાન ખેંચાયા વિના આજ સુધી કોઈ પણ આત્માએ પોતાનું આત્મશ્રેય સાધ્યું નથી, માટે આત્મશ્રેયના અર્થી આત્માઓએ ઉપકાર અને ઉપકારીઓના સ્વરૂપને સમજીને, પોતાનું સમગ્ર જીવન ઉપકારીઓના ચરણે સમર્પ દઈને, પોતાનો આત્મિક ઉપકાર સાધવા દ્વારા, વિશ્વના ઉપકાર માટે આત્મિક ઉપકારને સિદ્ધ કરનારી સઘળી પ્રવૃત્તિઓ આદરવી જોઈએ. એવી પ્રવૃત્તિઓના પરિણામે જ પોતાનો આત્મા આરાધક દશામાંથી આરાધ્યદશાને પામશે. શ્રી જિનેશ્વરદેવના શાસનનો આ જ મર્મ છે. આ મર્મથી અજ્ઞાત આત્માઓ ચાહે તેટલો આડંબર રચે, તે છતાંય તેઓ પોતાનો ઉદય કદી જ સાધી શકવાના નથી : ઊલટા આ ભયંકર સંસાર રૂપ અટવીમાં અટવાઈ મરશે અને પરિચયમાં આવતા આત્માઓને અથડાવી મારશે. અસ્તુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy