SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ આથી સ્પષ્ટ છે કે સ્વતંત્રપણે ધર્મનું કથન કરનારા પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવ, બીજા પણ અતીંદ્રિય જ્ઞાનીઓ એટલે કેવલજ્ઞાનને ધરનારા પરમર્ષિઓ અને ભગવાન શ્રી ગણધરદેવ આદિ શ્રુતકેવલી ભગવાનો, પરીષદમાં સાંભળવા આવેલા આત્માઓને ધર્મનું શ્રવણ કરાવે. શ્રવણ કરવા આવનારાઓમાં દ્રવ્યથી અને ભાવથી ઉત્થિત પણ હોય, કેવળદ્રવ્યથી અને કેવળભાવથી ઉત્થિત પણ હોય તથા ભાવથી ઉત્થિત થવાની અભિલાષાવાળા પણ હોય અને કુતૂહલાદિકથી સાંભળવાવાળા પણ હોય. આવા સઘળાની સમક્ષ પરમ ઉપકારી પરમર્ષિઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગનું કથન કરે. ૧૮૭ ખરેખર, ઉ૫કા૨પ૨ાયણ પરમર્ષિઓની ઉપકારક પ્રવૃત્તિ કોઈ અજબ પ્રકારની જ હોય છે. સાચા ઉપકારીઓનો પ્રયત્ન પ્રાણીમાત્રને મુક્તિના જ માર્ગે વાળવાનો હોય. દુનિયાદારીના માર્ગે તો પોતાની રસિકતાથી અને કર્મની પરાધીનતાથી જીવો સારી રીતે વળેલા જ છે અને એ માર્ગે વાળનારા ઉપકારીઓ તો આ દુનિયામાં અળસિયાંની માફક ફૂટી નીકળે છે, એટલે એ માર્ગે વાળવાના પ્રયત્નને ઉપકાર તરીકે ઓળખાવવો, એ તો ‘ઉપકાર’ શબ્દનો દુરુપયોગ કરવા બરાબર છે. ‘ઉપકાર’ શબ્દ કોઈ એવો શબ્દ નથી કે એ શબ્દનો યોગ જે તે પ્રવૃત્તિ સાથે થઈ શકે, પણ અજ્ઞાન દુનિયાએ કયા સુયોગ્ય શબ્દનો દુરુપયોગ નથી કર્યો ? અજ્ઞાન દુનિયા તો સુંદરમાં સુંદર શબ્દનો પણ દુરુપયોગ કરતી જ આવી છે અને કરે છે, એથી જરાયે દુ:ખી થવાનું કારણ નથી : પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની મનાવતા આત્માઓ પણ ‘ઉપકાર' અને એના જેવા સુંદરમાં સુંદર શબ્દોનો દુરુપયોગ કરવા જેવી વિચારણાઓ, વાગરણાઓ અને આચરણાઓ આચરે, ત્યારે તો જરૂર દરેકે દરેક સજ્જનના હૃદયને ભાવદયાથી ભરેલો આધાત થાય જ. એવા આઘાતના યોગે પરમ કરુણારસથી ભરેલા એક મહર્ષિએ પોતાના હૃદયદુઃખનો પોકાર કરતાં કહ્યું છે કે - " न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतराः त्वच्छासने ते कलौ । बिभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियं, पुत्कुर्मः किमराजकेऽपि हि तला रक्षा न किं दस्यवः || १ || " “હે શ્રી વીર ભગવન્ ! પૂર્વે તે જેઓને મુક્તિપથના વાહકપણાએ સ્થાપ્યા હતા, તેમાંના ઘણાબધા તારા અભાવે કલિકાળમાં શાસનને લૂંટનારા થયા તે યતિનામને Jain Education International 926 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy