SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 5 - ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ! - 62 - ૧૮૫ स्त्रियः समवसरणस्था उभयथाप्युत्थिताः श्रृण्वन्ति, पुरुषास्तु द्रव्यतो भाज्या:, भावोत्थितानां अमावेदयति उत्तिष्ठासूनां च देवानां तिरश्चां च, येऽपि कौतुकादिना श्रृण्वन्ति तेभ्योऽप्याचष्टे । भावसमुत्थितान् विशेषयिषुराह निक्षिप्ताः-संयमिता: मनोवाक्कायरूपाः प्राण्यपमर्दकारित्वाहण्डा इव दण्डा यैस्ते तेषां निक्षिप्तदण्डानां तथा समाहिताणं सम्यगाहिता: तपः संयम उद्युक्ता समाहिता अनन्यमनस्कास्तेषां, तथा प्रकर्षण ज्ञायतेऽनेनेति प्रज्ञानं तद्वतां सश्रुतिकानां 'इह' अस्मिन्मनुष्यलोके 'मुक्तिमार्ग' शानदर्शनचारित्रात्मकं कीर्तियतीति सम्बन्धः ।" “આ મનુષ્યલોકમાં જે જીવો ધર્મનું આચરણ કરવા માટે સમ્યક પ્રકારે સજ્જ થયા છે, તે જીવોને ઉદ્દેશીને શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ યથાવસ્થિત ભાવોનું યથાર્થપણે પ્રતિપાદન કરે છે.” હવે – જીવો દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે ઉસ્થિત હોઈ શકે છે : શરીરથી ઊભેલા તે દ્રવ્યથી ઉસ્થિત કહેવાય છે અને જ્ઞાનાદિકથી સજ્જ થયેલા ભાવથી ઉસ્થિત કહેવાય છે.” તેમાં - સમવસરણમાં રહેલી સ્ત્રીઓ બન્ને પ્રકારે ઉસ્થિત હોઈ શકે છે અને પુરુષો દ્રવ્યથી ઉસ્થિત હોય પણ ખરા અને ન પણ હોય.' આથી : ભાવથી ઉસ્થિત થયેલા મનુષ્યોને અને ઉસ્થિત થવાની અભિલાષા રાખતા દેવોને અને તિર્યંચોને તથા જેઓ કૌતુકાદિકથી પણ, સાંભળે છે તેઓને પણ ભગવાન શ્રી તીર્થંકરદેવ આદિ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગ કહે છે.” ભાવથી સમુસ્થિત થયેલા આત્માઓને વિશેષણોથી વિશિષ્ટ કરતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે –” પ્રાણીઓનું ઉપમર્દન કરનારા હોવાથી દંડ જેવા મન, વચન અને કાયારૂપ દંડોને સંયમમાં રાખનારા, તપ અને સંયમની આરાધનામાં અનન્ય મનવાળા અને વસ્તુસ્વરૂપને સારામાં સારી રીતે જાણી શકાય એવા પ્રકારના જ્ઞાનવાળા.' એવા - ભાવથી ઉસ્થિત થયેલા મનુષ્યોને ઉદ્દેશીને ભગવાન શ્રી તીર્થંકરદેવ તથા શ્રી ગણધરદેવ આદિ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મુક્તિમાર્ગનું કીર્તન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy