________________
૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ?
શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશકો પણ ધર્મદેશના કોની સમક્ષ કરે ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, દ્વાદશાંગી પૈકીના આ ‘શ્રી આચારાંગ’ નામના પ્રથમ અંગસૂત્રના ‘ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના ‘નિજક ધૂનન’ નામના પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં જ ફરમાવ્યું કે ‘જેમ શાક્યોની ધર્મદેશના ‘કુડી’ આદિમાંથી પ્રગટ થાય છે અને વૈશેષિકોનું પાવિર્ભાવન ઉલૂક ભાવે પ્રગટ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવના દર્શનમાં નથી : શ્રી જિનેશ્વરદેવનાં દર્શનમાં તો શ્રી જિનેશ્વરદેવ પોતે જ ઘાતી કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પામી, તે દ્વારા સ્વર્ગ તથા અપવર્ગ અને તેનાં કારણોને તથા સંસાર અને સંસા૨નાં કારણોને જાણી, પોતે કૃતાર્થ હોવા છતાં, પણ ભવોપગ્રાહી કર્મોના યોગે મનુષ્યલોકમાં રહ્યા છતાં, મનુષ્યલોકમાં મનુષ્યોને ઉદ્દેશીને પ્રાણીઓના હિત માટે ધર્મનું કથન કરે છે. એવી રીતે અન્ય કેવલજ્ઞાની મહર્ષિ અને શ્રુતકેવલી મહર્ષિ પણ ધર્મનું કથન કરે, પણ તે સિવાયના અન્ય કોઈ પણ સ્વતંત્ર રીતે ધર્મનું કથન કરી શકે નહિ.’
હવે પરમાત્મા શ્રી મહારવીરદેવના પાંચમા ગણધરદેવ સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા એમ ફરમાવે છે કે ‘શ્રી તીર્થંકરદેવ અને ગણધરદેવ આદિ ધર્મનું કથન કરે કોની સમક્ષ ?’ અને ‘એ ધર્મનું શ્રવણ કરીને એનું આચરણ કોણ કરે ?' આ વસ્તુનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર મહારાજા ફરમાવે છે કે
-
" से किढ्ढइ तेसिं समुट्ठियाणं निक्खित्तदंगडाणं समाहियाणं पत्राणमंताणं इह मुत्तमग्ग | "
આ સૂત્રવાક્યના ભાવને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે -
44
" 'स' तीर्थकृद्गणधरादिः 'कीर्त्तयति' यथावस्थितान् भावान् प्रतिपादयति 'तेषां' धर्म्मचरणाय सम्यगुत्थितानां, यदि वा उत्थिता द्रव्यतो भावतश्च तत्र द्रव्यतः शरीरेण भावतो ज्ञानादिभिश्च,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org