SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ? ૦ શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશકો પણ ધર્મદેશના કોની સમક્ષ કરે ? ૭ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મની પ્રાપ્તિ ને આચરણા કરી કોણ શકે છે ? • અવિધિ દોષથી ક્રિયા છોડાય ? જ્ઞાનવાન 62 ક્રિયાહીન અને ક્રિયાવાન જ્ઞાનહીન ક્યારે આરાધક ? ભાવના લાવવા માટેય ક્રિયા જરૂરી છે : • અતિ-પરિણત-દોષ એટલે ? મુનિ ને રાજપુત્રમાં વધુ વિનયી કોણ ? • આગમ કહે તે સાચું ! વિષય : ધર્મ માટે ભાવથી સમુપસ્થિત થયેલા જીવોને માટે ધર્મદેશના, મૂલકાર તેમજ ટીકાકાર મહર્ષિના ચીલે ચાલીને પ્રવચનકારશ્રીએ શરૂઆતમાં જ ભાવથી સમુપસ્થિત-ઉત્થિત થયેલા જીવોને તીર્થંકરદેવો તેમજ ગણધ૨દેવો દેશના આપે છે એમ જણાવ્યું. અન્ય પણ કેટલાક જીવો એ દેશના સાંભળે પણ લાભ તો ભાવોત્થિતને જ પ્રાયઃ થાય. આ વાત સાથોસાથ, સાચો ઉપકાર કેવો ? એ કોણ કરી શકે ? ઇન્દ્રિય અને કર્મરૂપ શત્રુઓ ઉપર આક્રમણ કોણ કરી શકે ? લઘુકર્મી અને ભારે કર્મી આત્માઓની દશા કેવી હોય ? અજ્ઞાની ક્રિયાકારને જોઈ જ્ઞાનીની ફરજ શી ? નવાને ધર્મમાં કઈ રીતે જોડવો ? ક્રિયા પણ મોક્ષાર્થે જ શું કામ ? અતિપરિણત એટલે શું ? આ અને આવા કેટલાક પાયાના પ્રશ્નોનાં શાસ્ત્રીય સમાધાનો કર્યાં છે. મુનિ અને રાજપુત્રનું વિનય ઉપરનું દૃષ્ટાંત આપી છેવટે પૂ. શ્રી આત્મારામજી મહારાજનો એક પ્રસંગ કહી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુલાકાતૃત • આત્માના લઘુકર્મીપણાનું એ ચિહ્ન છે કે સાચી વસ્તુ સંભળાય તો તરત હૃદયમાં ખટકો થાય. એનાથી કદાચ આચરણ ન થાય, પણ ‘આ થાય તો ઠીક’ – એમ તો એને જરૂર જ થાય. અપવાદનો જ્ઞાતા કોઈને પડતો ભાળી, ત્યાં અપવાદ લગાડી એનો ‘બચાવ’ કરે, પણ જો એ પોતે અપવાદમાં પડે તો એ અજ્ઞાની ! ૭ ક્રિયા કરનારને નમે, હાથ જોડે, એની પ્રશંસા કરે અને એને માર્ગસ્થ કરે તે જ્ઞાની. ♦ પોતાનું ડહાપણ ડહોળી, અન્ય આત્માને પતિત કરવાના પ્રયત્નો કરે, એટલું જ નહિ પણ પતિત કરે તે અજ્ઞાની. હીનગુણી પર અનુકંપા ન આવે ત્યાં સુધી ધર્મના અંકુરા ફૂટતા નથી. બહુગુણીને હીનગુણી પર દયા જ હોય. એનાથી એનું અપમાન ન જ થાય. મોક્ષની હેતુભૂત બધી ક્રિયા મોક્ષનું જ ધ્યેય ધ્યાનમાં રાખીને કરવાની. ♦ કર્મના ઉદય વિના આસક્તિ પણ નથી, પણ આસક્તિ તોડવા પ્રયત્ન કર્યા બાદ ન તૂટે તો ઉદય કહેવાય. ભાવના ન આવતી હોય તોય અભ્યાસ પાડવા માટે પણ ધર્મક્રિયા કરો, પ્રેમ જગાડવા માટે પણ ધર્મક્રિયા કરો. આગળ આચાર્યોએ પરિવર્તન કર્યાં છે, પરંતુ તે પણ ગીતાર્થોની સંમતિથી, આગમને અનુસરીને, એ પરિવર્તનો શાસ્ત્રાનુસારી હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy