________________
૧૨ : ભગવાનની દેશના પણ કોને તારે ?
૦ શ્રી તીર્થંકરદેવ અને શ્રી ગણધરદેવ આદિ સ્વતંત્ર ધર્મદેશકો પણ ધર્મદેશના કોની સમક્ષ કરે ?
૭ શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશક છતાં પણ ધર્મની પ્રાપ્તિ ને આચરણા કરી કોણ શકે છે ? • અવિધિ દોષથી ક્રિયા છોડાય ? જ્ઞાનવાન
62
ક્રિયાહીન અને ક્રિયાવાન જ્ઞાનહીન ક્યારે આરાધક ?
ભાવના લાવવા માટેય ક્રિયા જરૂરી છે : • અતિ-પરિણત-દોષ એટલે ? મુનિ ને રાજપુત્રમાં વધુ વિનયી કોણ ? • આગમ કહે તે સાચું !
વિષય : ધર્મ માટે ભાવથી સમુપસ્થિત થયેલા જીવોને માટે ધર્મદેશના,
મૂલકાર તેમજ ટીકાકાર મહર્ષિના ચીલે ચાલીને પ્રવચનકારશ્રીએ શરૂઆતમાં જ ભાવથી સમુપસ્થિત-ઉત્થિત થયેલા જીવોને તીર્થંકરદેવો તેમજ ગણધ૨દેવો દેશના આપે છે એમ જણાવ્યું. અન્ય પણ કેટલાક જીવો એ દેશના સાંભળે પણ લાભ તો ભાવોત્થિતને જ પ્રાયઃ થાય. આ વાત સાથોસાથ, સાચો ઉપકાર કેવો ? એ કોણ કરી શકે ? ઇન્દ્રિય અને કર્મરૂપ શત્રુઓ ઉપર આક્રમણ કોણ કરી શકે ? લઘુકર્મી અને ભારે કર્મી આત્માઓની દશા કેવી હોય ? અજ્ઞાની ક્રિયાકારને જોઈ જ્ઞાનીની ફરજ શી ? નવાને ધર્મમાં કઈ રીતે જોડવો ? ક્રિયા પણ મોક્ષાર્થે જ શું કામ ? અતિપરિણત એટલે શું ? આ અને આવા કેટલાક પાયાના પ્રશ્નોનાં શાસ્ત્રીય સમાધાનો કર્યાં છે. મુનિ અને રાજપુત્રનું વિનય ઉપરનું દૃષ્ટાંત આપી છેવટે પૂ. શ્રી આત્મારામજી મહારાજનો એક પ્રસંગ કહી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુલાકાતૃત
• આત્માના લઘુકર્મીપણાનું એ ચિહ્ન છે કે સાચી વસ્તુ સંભળાય તો તરત હૃદયમાં ખટકો થાય. એનાથી કદાચ આચરણ ન થાય, પણ ‘આ થાય તો ઠીક’ – એમ તો એને જરૂર જ થાય.
અપવાદનો જ્ઞાતા કોઈને પડતો ભાળી, ત્યાં અપવાદ લગાડી એનો ‘બચાવ’ કરે, પણ જો એ પોતે અપવાદમાં પડે તો એ અજ્ઞાની !
૭ ક્રિયા કરનારને નમે, હાથ જોડે, એની પ્રશંસા કરે અને એને માર્ગસ્થ કરે તે જ્ઞાની.
♦ પોતાનું ડહાપણ ડહોળી, અન્ય આત્માને પતિત કરવાના પ્રયત્નો કરે, એટલું જ નહિ પણ પતિત કરે તે અજ્ઞાની.
હીનગુણી પર અનુકંપા ન આવે ત્યાં સુધી ધર્મના અંકુરા ફૂટતા નથી.
બહુગુણીને હીનગુણી પર દયા જ હોય. એનાથી એનું અપમાન ન જ થાય.
મોક્ષની હેતુભૂત બધી ક્રિયા મોક્ષનું જ ધ્યેય ધ્યાનમાં રાખીને કરવાની.
♦ કર્મના ઉદય વિના આસક્તિ પણ નથી, પણ આસક્તિ તોડવા પ્રયત્ન કર્યા બાદ ન તૂટે તો ઉદય કહેવાય.
ભાવના ન આવતી હોય તોય અભ્યાસ પાડવા માટે પણ ધર્મક્રિયા કરો, પ્રેમ જગાડવા માટે પણ ધર્મક્રિયા કરો.
આગળ આચાર્યોએ પરિવર્તન કર્યાં છે, પરંતુ તે પણ ગીતાર્થોની સંમતિથી, આગમને અનુસરીને, એ પરિવર્તનો શાસ્ત્રાનુસારી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org