________________
મ
- ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 –
–
૧૮૧
પ્રભુની મૂર્તિથી થયું. પૂર્વની આરાધના યાદ આવી. એ શાસનનો પ્રભાવ. એ આગમનો પ્રભાવ. એને આઘાં મૂકી રહો ક્યાં ?
સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ - એ બધું આગમને આભારી. શાસનને આભારી. સમ્યગ્દર્શન, એ શાસનરૂપી મહેલનો પાયો છે : ધર્મનગરમાં પેસવાનો દરવાજો છે, મૂળ ગુણ તથા ઉત્તર ગુણ સાચવવાનો એ ભંડાર છે. બધાનો આધાર સમ્યકત્વ! બધાનો આધાર જેમ પૃથ્વી, તેમ સર્વ ગુણોનો આધાર સમ્યગ્દર્શન છે.
હે ભગવન્! તું અને તારી આજ્ઞા પહેલી.' - આનું નામ જ સમ્યગ્દર્શન છે. આ આજ્ઞાને ચોથે, પાંચમે તથા છઠું ગુણઠાણે ખૂબ આરાધે, ત્યારે સાતમે ધર્મધ્યાનનો પહેલો “આજ્ઞાવિચય' નામનો પાયો આવે. આજ્ઞાનુસાર અનુષ્ઠાનને એવા હૃદયરંગથી સેવે, આત્મામાં એવો ટેવાય કે જેને પરિણામે “આજ્ઞાવિચય' આવે અને એ આવે એટલે બધું કામ ચાલ્યું. ચોથે, પાંચમે તથા છદ્દે ગુણઠાણે કરવાનું એ જ ! શ્રી ઉપાધ્યાજી મહારાજા તો ફરમાવે છે કે“તુજ વચનરાગ-સુખ આગળ,
નવિ ગણું સુરનર-શર્મ રે.” (૧૨૫ ગાથાનું સ્તવન) - “પ્રભુ ! તારી આજ્ઞાના રાગના સુખ આગળ હું દેવતાઈ મનુષ્યના સુખોને પણ ગણકારતો નથી.'
“તુજ વચનરાગ-સુખ સાગરે હું ગણું,
સકળ સુર મનુજ સુખ એક બિંદુ” (૩૫૦ ગાથાનું સ્તવન) - “પ્રભુ ! તારી આજ્ઞાના રાગરૂપી સુખસાગરની આગળ હું દેવતાઈ અને મનુષ્યના સઘળાય સુખોને માત્ર એક બિંદુ સમાન માનું છું.”
આથી પણ આગળ વધીને તે મહર્ષિ ફરમાવે છે કે“લોકસંજ્ઞા થકી લોક બહુ બાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણશું જેહ રાતા રહે, તેને એહ નિજ મિત્ર દેખે.” (૩૫૦ ગાથાનું સ્તવન) હે નાથ ! તારી આજ્ઞામાં જે રત હોય, તેને જ આ તારો સેવક મિત્ર માને, પણ લોકહેરીથી બાવરા બનેલા લોકને આ તારો દાસ પાસે પણ ન રાખે. આ વાત શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે અને સૂચવે છે કે ભગવાનને, તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org