________________
૧૮૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ -------
920
ભાવનાએ આપીએ છીએ અને એ માટે જો તમે અમને માનો તો ઠીક, નહિ તો મનાવવાની પરવા પણ શી છે ?
જેમ દુનિયામાં ભયંકર રોગ કોઢ છે અને કોઢિયાને બીજાને અડવાનું મન થાય છે, એવાઓનો અમને અનુભવ પણ થયો છે. “ન અડાય’ કહીએ તોયે અડે. શાસ્ત્ર અડવાની ના કહી છે, એમ કહીએ તોયે અડે. આ દોષ છે. કર્મનો તે જાતનો ઉદય છે. તે જ રીતે જેને શાસન પ્રત્યે વિરોધભાવ થાય, ત્યારે તે આત્માને પણ એમ જ થાય છે કે “અમે જે માનીએ તે બીજા કેમ ન માને ? અમે જે કરીએ તે બીજા કેમ ન કરે ?' પણ તેવાઓએ સમજી લેવું ઘટે કે શાસનને ખાતર અમે ઘરબાર છોડ્યાં છે, પણ તમારી ખાતર ઘરબાર છોડ્યાં નથી. ભગવાન શ્રી મહાવીરદેવ તથા તે તારકનાં આગમ અમને ઠીક લાગ્યાં તે ખાતર અમે ઘરબાર છોડ્યાં છે, માટે તે સિવાયનું બધું જ ભલે જાય, પણ એ અખંડ રહે તો જ અમને શાંતિ અને એની સામે વિપ્લવ હોય તો અશાંતિ ભલે જીવે. ભલે કનડ્યું જાય અને ભલે આ ખોખાનો નાશ થાય. તમારે અને મારે બેયને આમ માનવું પડશે, આમ વર્તવું પડશે. આટલી ભાવના આવે તો સમ્યક્ત્વ ટકે. ઉપાધ્યાયજી મહારાજા તો ત્યાં સુધી કહે છે કે -
“કોડી કપટ જો કોઈ દાખવે, તોય નવિ તજું તુજ ધર્મ રે.” શ્રી ઉપાધ્યાયજી મહારાજાના સમયની સ્થિતિ કેવી હતી, એ વિચારો. ભયંકર સમયમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે હે પ્રભુ! કરોડો કપટ કોઈ તરફથી થાય તોયે, તારો ધર્મ હું નહિ તજું.” શાસનના પ્રભાવકો તો આવા જ હોય.
આજ તો વાતવાતમાં આગમ આવું મૂકો'-એમ કહેવાય છે. એમ કહેનારને કહી દો કે આગમ આવું થાય તો તે પણ કયો જીવતો છે ? તારો જન્મ ક્યાંથી ? - આગમથી કે બહારથી ? મનુષ્ય તરીકે યોનિથી જભ્યો, પણ જૈનત્વ ક્યાંથી આવ્યું ? યુગલિયાના ક્ષેત્રમાં જૈનત્વ કેમ નહિ ? ત્યાં શાસન નહિ, આગમ નહિ, માટે યુગલિયાને કદી સમ્યક્તપ્રાપ્તિ હોય કે થાય, તોય તે પૂર્વના આરાધનના સ્મરણયોગે : કંઈ જોવાથી જાતિસ્મરણ યોગ : પૂર્વના આરાધનના
સ્મરણે થાય. નારકીને પણ સમ્યકત્વ હોય, પણ તે પણ પૂર્વના સ્મરણથી. એ સમ્યક્ત ક્યાંથી ? આગમથી. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આગમને આઘાં મૂકી રહે ક્યાં ? અનાર્ય દેશમાં આદ્રકુમારને મૂર્તિ દેખી સમ્યકત્વ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org