SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 એ છે કે યેન કેન પ્રકારેણ કંઈ કરવું : “ખૂબ કનડીએ તો સીધા થાય અને આપણામાં ભળે.' પણ એમને કહી દઈએ કે ‘આભ અને પાતાળ એક થાય તોયે તમારામાં નહિ ભળીએ. ગમે તેટલાં કલંક ચડાવો કે ગમે તેટલા કનડો, દુનિયાની નજરે કલંકિત ભલે ઠરીએ, પણ પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ એક કદમ પણ નહિ ભરીએ અને તમારા ભેગા તો નહિ જ ભળીએ. ખરાબ રીતે હેરાન હેરાન થઈને ભલે મરીએ, પણ પ્રભુમાર્ગના વિરોધીઓના પગમાં માથું મૂકીને તો નહિ જ જીવીએ.’ આ ખુલ્લી ચેલેંજ છે. તમારાં કલંકોની અમારે મન એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. અમારું સંયમ હશે, પ્રભુ ઉપર અને પ્રભુઆજ્ઞા ઉપર અમારા હૃદયમાં રાગ હશે, તો અમને મૂંઝવણ પણ શી છે ? પ્રભુઆજ્ઞા માટે અમે એકલા પડી જઈએ તો પણ શું ? 919 “ોદું નત્યિ મે જોડ્, નામન્નલ્સ સફ્ ।” આ ભાવના એ અમારા માટે જેવું તેવું શરણ નથી. પ્રભુએ અમને ઉત્તમોત્તમ ઉપાયો બતાવ્યા છે, એથી અમને મૂંઝવણ થાય જ નહિ. ‘શાંતિ સ્થાપો, શાંતિ સ્થાપો.’ - એમ બોલવા માત્રથી શાંતિ સ્થપાય જ નહિ . મહીં જ્વાળા હોય તો બહાર શાંતિ થાય પણ ક્યાંથી ? અંદરનો સડો કાપ્યા વિના બહારથી રૂઝાય પણ શી રીતે ? બહારનું ગૂમડું સારું કે દબાવીને કચરો કાઢી નાખીએ, પણ મહીંનું (અંદરનું) ગૂમડું (સડો) કાપ્યા વિના રૂઝવીએ તો આખું શ૨ી૨ સડી જાય. એવી થીગડાની શાંતિ મરતાંય કબૂલ ન કરતા. મહાપુરુષો તો કહેતા ને કહે છે કે શાસનરક્ષા માટે અશાંતિની સગડીમાં સળગવામાં જ આત્મશ્રેય છે અને પ્રપંચીઓએ ઊભા કરેલ અશાંતિના ડરથી બચવા માટે મુડદાલ શાંતિનું શરણ લઈ શાસનના શ્રેયનો નાશ થવા દેવો, તેના જેવું એક પણ ભયંકર પાપ નથી. ૧૭૯ તમે મને માનો અને મારા પૂર્વજોને ભાંડો અને તે હું સાંખું તો મારા જેવો દુષ્ટ કોઈ નથી. મારાં વખાણ ખાતર પૂર્વજો તથા આગમોને ભાંડવામાં આવે એ જોયા કરું, તો મારા જેવો કપૂત કોણ ? મરચા-મીઠાની પેઢીવાળો પણ આવું પાપ તો ન કરે. બે ગ્રાહકને રાજી રાખવા માટે બાપને ગાળો સપૂત તો ન જ ખવરાવે. જો કોઈ ગાળ દે તો તરત સામે થાય અને કહે કે ‘જા, જા, ભિખારી, મારા બાપને ગાળો દે છે તો તારા જેવા ગ્રાહકની મને પરવા નથી.’ પૂર્વજને તથા આગમને ન માનો અને અમને માનો તે શું કામના ? અમે ઘરબાર છોડીને નીકળ્યા છીએ, તો એમને મનાવવા. તમને આગમ મનાવવા તો નીકળ્યા છીએ, અમને સારું લાગ્યું માટે ગ્રહણ કર્યું અને તમે પણ લો, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy