SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ --- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 918 એને નાશ કરનારા પદાર્થો આઘા રાખવાની, એવા પદાર્થોથી આઘા રહેવાની, એ ગુણોને બચાવવાની ભાવના ન જાગે, એનો અર્થ એ કે એ ગુણની કિંમત નથી. ગુણને સાચવવા તો થાય તેટલું કરવું જોઈએ, રાજાને દીકરા ઘણા હોય, પણ સાચવવો કોને પડે? પાટવીને, બીજાને કોઈ પ્રાયઃ મારે નહિ. મારે તો ગાદીપતિને મારે તેમ આત્માના સમ્યક્ત-વિરતિ આદિગુણોને નાશ કરવા દુનિયાની સામગ્રીઓ તૈયાર છે, ચોટ્ટાઓ તૈયાર છે. તમારું સમ્યક્ત્વ બીજાને પણ ન ગમે. મિથ્યાત્વ દુર્ગુણ એવો છે કે એને લઈને એ આત્મા પોતે ગુણ ન પામે અને બીજાને પામવા ન દે : પામ્યો હોય તેની પાસે રહેવા ન દે. કોઈની આત્મલક્ષ્મી જોઈને એને ઇર્ષ્યા આવે. એ એવો નાદાન બને કે હરીફાઈમાં ન ઊતરે પણ ઇર્ષામાં ઊતરે. ‘એ ક્યારે પડે ?' આવું જ એ ચિંતવ્યા કરે. ઇર્ષાનો એ પ્રભાવ છે. મિથ્યાત્વના અણુમાંથી એ જન્મે છે. કોઢિયામાં એક દુર્ગુણ હોય છે. એ ઇચ્છે કે બધા આવા જ થાય. એ બધાને જાણીને અડે. છાનામાના પણ અડે ત્યારે એને ચેન પડે. ડૉક્ટર કોઈને અડવાની ના કહે તોયે અડે. જેમના કહો તેમ ખાસ અડે. “આ સારા કેમ?' આવી દુર્બુદ્ધિ તેનામાં થઈ જાય છે. આપણામાં પણ કેટલાક એવા કોઢિયા પાક્યા છે. અધર્મી એ કોઢિયા ન કહેવાય, પણ ધર્મવિરોધી એ તો કોઢિયા જ કહેવાય ને? “અમને ન રુચે તે આમને કેમ રુચે ?' આવો ઘમંડ એ એક જાતનો કોઢ છે. વીસમી સદીનો સ્વતંત્રવાદ પોતાના માટે, પણ પારકા માટે નહિ એ શું? કોઈ અમને કહે કે “અમને માનવા દો, અમને ઠીક લાગે છે' - તોય પેલો કહે કે તમને સારું લાગે કેમ ? તમે પણ ન માનો. એ તો કહે કે તમે પણ અમારી સાથે ભળો, ન ભળો તો ખોટાં કલંકો ચડાવું. પણ કનડ્યા વિના ન રહું.” હવે આ દશામાં મક્કમ ન રહેવાય તો શરણે જવું પડે ને ? તમે શરણે જાઓ, તમે એમના જેવા થાઓ, તો તરત શાંતિ : એમ કહો, ઍફલેટ કાઢો કે “મહાવીર, એનું આગમ, પૂર્વાચાર્યો એ બધા નહિ પણ તમે અમારા મહાવીર' - તો તરત શાંત થાય. આવી શાંતિ કરવી છે ? એવું જાહેર કરો કે “અમે ભૂલ્યા, આજ સુધી અંધશ્રદ્ધાળુ હતા, પણ હવે અમને તમારી વાતો માન્ય છે” તો કાલે શાંતિ ! પછી આ મકાન તરફ આંખ નહિ કરે : શેઈમ-શેઈમને બદલે એના એ “જય' “જય” બોલશે. એવી જય' બોલાવવી છે ? જરા સમજો તો ખરા ! શાંતિ, શાંતિ, પણ શાંતિ શી રીતે થાય ? પ્રભુઆણા માટે એકલા પડીએ તો પણ શું? આજની લડતનું મૂળ તમે સમજતા નથી. મૂળ તો સમજો. અમુક આક્ષેપ તો બહાનું છે. ધાંધલનું નિશાન છે. કોઈ આવે તો ખરો, દલીલ તો કરે. મુદ્દો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy