________________
IT
––– ૧૧ : પ્રભુનું શાસન એ જ સર્વસ્વ : - 61 –
– ૧૭૭
આજ્ઞારુચિ જાગવી જોઈએ, પછી તરત સંસાર અસાર અને મોક્ષ સાર લાગે : સંસાર ખોટો અને મોક્ષ સાચો લાગે : મોક્ષનાં સાધનો તે પોતાનાં અને સંસારનાં સાધનો તે પારકાં લાગે ? આનું નામ આજ્ઞાપ્રેમ. મોક્ષ મારો લાગે અને સંસાર પારકો લાગે, પછી મારા માટે પારકું મૂકતાં વાર પણ કેટલી? પણ આટલું નક્કી થવું જોઈએ. જે ‘પારકામાં મારું મનાય છે' - એ જ મોટો ગોટાળો છે !
ચોથા ગુણઠાણાવાળો આત્મા આસક્તિના યોગે વિરતિધર ન પણ થાય, પણ વિરતિ અને વિરતિધરની રક્ષાપ્રસંગે, વિરતિ અને વિરતિધર તથા વિરતિરસિક ઉપરની આફત પ્રસંગે, રક્ષા કરવા માટે અવિરતિનાં સાધનોને છોડતાં એને વાર ન લાગે. દેવ, ગુરુ અને ધર્મતત્ત્વ હણાઈ રહ્યું હોય અને તેની રક્ષા માટે ઘરબાર છોડવાની જરૂર લાગે, ત્યારે એને ઘરબાર છોડતાં પણ વાર ન લાગે. સાધુપણું ન આવે એ બને, લક્ષ્મી છોડવાનું મન ન થાય એ બને પણ આવા વખતે તો જરૂર તે છોડે ? એ પૂરું સાધે એ ન બને પણ સાધવા જેવી ચીજની રક્ષા માટે નાશવંત ચીજ છોડતાં એને વાર ન જ લાગે.
સભા: આવા પ્રસંગે લક્ષ્મી ન વાપરે ત્યાં સમ્યક્ત ખરું કે નહિ ?
તમે સહેજ આડા ગયા. સમ્યક્ત હોય પણ જતાં વાર કેટલી ? નાણાં તિજોરીમાં ન રાખતાં છૂટો ઢગલો રાખ્યો હોય તો રહે કે જાય એ પ્રશ્ન છે ? એ જાય એમ નહિ, ચાર દિવસ રહી પણ જાય, પણ જતાં વાર લાગે ? ચોથે દિવસે બુમ મારે કે નાણાં ગયાં. એ ચીજ જ એવી કે તણાઈ જ જાય. સાચવવા લાયક ચીજ માટે સાચવવાજોગી સામગ્રી ન કરીએ અને એ માટે કોઈ કહેવા આવે તેને ન ગણકારીએ, એનો અર્થ એ કે તે વસ્તુની કિંમત અંતરમાં જચી નથી, પાઈપૈસા ખીસામાં નખાય, પણ ગીની તો પાકીટમાં નંખાય અને તેમાં પણ ખાનાં ઘણાં હોય, એ લે તેમાં પણ નાનામાં નાના ખાનામાં નંખાય, કેમ કે ગીનીનો માલિક તેની કિંમત સમજે છે. પાકીટમાં ન મૂકે અને જેમ તેમ મૂકે તે ભલે ન પણ જાય, પણ એને કોઈ ડાહ્યો ન કહે. કોઈ કહે કે “હું ભરઅટવીમાં હીરો ઉછાળતો ચાલ્યો આવ્યો.-તો તરત એને બધાં કહે કે “પાકો ગધેડો. કોઈ મળ્યું નહિ, નહિ તો હીરો અને જાન બેય જાત. એ તો છુપાવીને જ લવાય. માટે એવી રીતે લાવે એ ડહાપણ ન કહેવાય.” આપણે મળેલી સામગ્રી સફળ નથી કરવા માટે બહાનાં બહુ કાઢીએ છીએ.
જ્ઞાની કહે છે કે સમ્યક્ત તથા વિરતિ એ દુર્લભ ગુણો છે : ક્વચિત્ આવે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org